સ્વાધ્યાયઃ એક વૈજ્ઞાનિકની નજરે.
આત્મગૌરવ + પરસન્માન = મનુષ્ય ગૌરવ.
સમાજોત્થાન માટે આવું અદ્ભુત સમીકરણ આપનાર તથા ફિલોસોફીના જગતમાં ‘ એક્ટિવીસ્ટ ફિલોસોફર ' તરીકે સુવિખ્યાત એટલે આપણા પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રીજી ( દાદાજી )
શ્રી રવજીભાઈ મોવલિયાને નાનપણથી જ વિજ્ઞાનનો લગાવ હતો . તેથી જ કોઈપણ વાત , વસ્તુ કે વિચાર પ્રત્યે સમજણ કેળવતી વખતે સાબિતીનો આગ્રહ પણ રાખતો . તેમાંય વળી તેમને ઈસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સંકળાઈને આ વિચારધારાને પુષ્ટિ મળી . સમાજમાં જડ કરી ગયેલી અસ્પૃશ્યતાની બાબત એકવાર ધ્યાનમાં આવી . અમુકને અડવાથી અભડાયા - એટલે શું થયું ? માણસને અડવાથી અભડાઈ કેવી રીતે જવાય ? આવી વાત મગજમાં ઉતરી નહીં . તેમને દાદાજીની પાસેથી શાસ્ત્રોક્ત ગીતાનો સંદર્ભ સાંભળ્યો - सर्वस्य चाहं हृदि सन्निविष्टो: ભગવાન સ્વમુખે કહે છે કે “ હું પ્રત્યેકના હૃદયમાં છું . એટલે કે જગતમાં કોઈ અસ્પૃશ્ય નથી , કારણ પ્રત્યેકમાં રામ વસ્યો છે . માણસ અશિક્ષિત , અસ્વચ્છ , અસંસ્કારી હોઈ શકે ; પરંતુ અસ્પૃશ્ય કદાપિ ન હોઈ શકે ! હા , જેનામાંથી રામ ચાલ્યો ગયો તે અસ્પૃશ્ય . તેથી જ તો , કોઈને પણ સ્મશાને પહોંચાડ્યા પછી નહાવું પડે છે . ' દાદાજીના આવા ઈશકેન્દ્રિત, તાર્કિક, બુદ્ધિગમ્ય વિચારો તેમને સ્પર્શી ગયા .
બૌદ્ધિકો પાસેથી ઘણીવાર સાંભળીએ કે - “ શું અમુકેક વર્ગ ક્યારેય સુધરશે ખરા ? ' પણ દાદાજી પાસેથી તેમને અલગ જ સમજણ મળી કે - “ આપણે કોઈને સુધારનારા બનવાનું નથી , પહેલું પરિવર્તન આપણા દષ્ટિકોણમાં લાવવાનું છે . સૌને બંધુત્વથી જોવાના છે . તો જ બીજાને માટે નિરપેક્ષ પ્રેમ થાય . તો જ આપણમાં પરિવર્તન આવે , ને તો જ એનામાં પરિવર્તન ભગવાન લાવે . કેટલીક સ્ફટિક જેટલી શુદ્ધ વાત ! દાદાજીએ આ માત્ર થિયરી(#theory) ન કહી , તેવું વ્યવહારીક રીતે(#practically) કરી દેખાડયું . તેમનો અનંત પ્રેમ આજે સેંકડો પંજોના લાખો કુટુંબોને જોડનારો બન્યો છે . સામાન્ય ગણાતા લોકોમાં વૃત્તિનિર્માણનું ભગીરથ કાર્ય એટલે શક્ય બન્યું છે કે , કારણ કે દાદાજીએ કોઈને સામાન્ય ગણ્યા જ નથી !
માનવને ભગવાનના પ્રત્યે કૃતજ્ઞ બનાવનારી ‘ ત્રિકાલ સંધ્યા ' દાદાજીએ આપી . તેના બારામાં દાદાજી કહે , ‘ ત્રિકાળ સંધ્યા ’ એ Atom Bomb છે , ’ - વૈજ્ઞાનિક તરીકે તેમને થયું Atom Bomb એટલે Bundle of tremendous Power. તેવી રીતે , ‘ ત્રિકાળ સંધ્યા ' ના ૧૦ શ્લોકોમાં એવી શક્તિ છે , જે સાચી સમજણ જગાડી જીવનમાં દુર્ગુણોનો નાશ કરી વિધાયક ગુણો નિર્માણ કરે છે .'
સવારે ઊઠીને कराग्रे वसते लक्ष्मीः... ના નિયમિત રટણથી બધાની સમજણ સ્પષ્ટ બની છે કે - લક્ષ્મી અને સરસ્વતી બંનેની વચ્ચે ગોવિંદને બેસાડવાથી જ સમાનતા આવી શકશે . જેમ હાથની બધી આંગળીઓ એકસરખી નથી તેમ સમાજમાં પણ બધી આંગળીઓ સરખી નથી . તેને વાળીને ‘ करमध्ये तु गोविन्दः ' - ગોવિંદ પાસે આવવાથી બધી સમાન ! તેથી જ ગરીબ સાથે તવંગર , અશિક્ષિત સાથે શિક્ષિત , મજૂર સાથે માલિક - જેવું અનોખું કોમ્બીનેશન(#combination) સ્વાધ્યાયના ભક્તિફેરીના ગ્રુપોમાં સહેજે જોવા મળે છે . આજના સ્ટેટ્સ(#status) સીમ્બોલ(#Symbol)ના કાળમાં આ આશ્ચર્ય છે .
જયારે ઈસરોની સેટેલાઈટ સંસ્થામાં કાર્ય કરતા પૃથ્વીના સેટેલાઈટથી પાડેલા અપ્રતિ ફોટોગ્રાફસ જોઈએ ત્યારે પૃથ્વીના ૭૦ % વિસ્તારમાં સમુદ્ર હોવાથી ધરતીએ વાદળી સાડી પહેરી હોય તેવું દેખાય. દાદાજી ‘ ત્રિકાળ સંધ્યા' માં समुद्रवसने देवि... ( સમુદ્રરૂપી વસ ધારણ કરેલી પૃથ્વીમાતા ) શબ્દો દ્વારા સાયન્ટિફિક(#Scientific) રીતે રોજ યાદ કરાવે છે . છતાં પોતે ક્રેડિટ(#credit) ન લેતા ઋષિઓને ક્રેડિટ આપે છે .
જાહેરાતના જમાનામાં જાહેરાત વિના ચાલતી શાંત પ્રવૃત્તિ એટલે સ્વાધ્યાય . ‘ બોલ્યા વિના બોર પણ વેચાય નહીં ’ આવી કહેવત સામે કચ્છના ધરતીકંપ પછી પુનઃનિર્માણ કાર્ય પરનો UNDP નો રીપોટ વાંચીને સમજાય કે પુનઃનિર્માણ વિષે શરૂઆતથી અંત સુધી જેને પ્રસિદ્ધિ નહોતી, તેવા સ્વાધ્યાય પરિવારે ૪,૦૦૦ (ચાર હજાર) મકાનો તૈયાર કરીને આપ્યા હતા . આ UNDP નો રીપોર્ટ #Website પર વાંચવાથી સમજાય કે - દાદાજીને બોર વેચવા જ નથી , તેથી તો કરેલું કાર્ય કદી બોલતા નથી . દાદાજીનું તત્ત્વજ્ઞાન એક ભાઈ બીજા ભાઈને મદદ કરે તેનું છે તેમાં જાહેરાત શાની ?
હળવાશમાં કહીએ તો , Where there is a Medical College , there must be a hospital . થીયરી ના થોથા વાંચવામાત્રથી દર્દીની શારીરિક સર્જરી કરવાનું શક્ય નથી . પ્રાયોગિક(#Practical) ની પણ એટલી જ આવશ્યકતા છે . તેવી જ રીતે , તત્ત્વજ્ઞાન જીવનમાં આવે તે માટે દાદાજીએ સ્વાધ્યાય કેન્દ્રો સાથે અનેક પ્રયોગો આપ્યા છે .
ભાવફેરી, ભક્તિફેર , યોગેશ્વરકૃષિ, મત્સ્યગંધા, પતંજલિ ચિકિત્સાલય, ઘર મંદિર, વૃક્ષમંદિર, શ્રીદર્શનમ્, અમૃતાલયમ્ જેવા અનેક પ્રયોગોની હારમાળા સર્જીને વિશ્વના તત્વચિંતકો વચ્ચે દાદાજી " Applied Philosopher " તરીકે માનભર્યું સ્થાન શોભાવે છે .
આ મહાજ્યોતિએ પ્રગટાવેલા લાખો દીવડાઓને સતત પ્રગટેલા રાખનાર એમના સુપુત્રી પૂજનીય જયશ્રીદીદીને પણ કેમ ભૂલી શકાય? તેઓ વૈશ્વિક ક્લક પર પોતાના કૌશલ્યથી, દાદાજીની જ પદ્ધતિથી, દાદાજીનું કાર્ય આગળ વધારતા રહ્યા છે. તેમાં પોતાની આગવી મૌલિકતાનું મેળવણ ઉમેરીને યુવાવર્ગને પણ આ કાર્યમાં સતત પ્રવૃત્ત કરતા રહ્યા છે. આજે પ્રત્યેક ઘરની ત્રણ પેઢીને ‘ સ્વાધ્યાયી ' તરીકેની ઓળખ મળી છે તે દીદીજીને કારણે ! આવા સાચા અર્થમાં '' મનુષ્ય ગૌરવ '' ઊભું કરનાર દાદાજીને કોટિ કોટિ વંદન.👏
શ્રી રવજીભાઈ મોવલિયા, રિટાયર્ડ સાયન્ટિસ્ટ(retired scientist), સ્પેસ એપ્લિકેશન સેન્ટર(space applications centre), ઈસરો(ISRO), અમદાવાદ .
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.