Swadhyay Parivar Tree temples-Vrikshmandir

વૃક્ષમંદિર.


vruksh mandir vruksh mandir swadhyay parivar vruksh mandir surendranagar vruksh mandir rajkot vruksh mandir gujarat vruksh mandir photos vruksh mandir vadodara vruksh mandir ahmedabad vruksh mandir images वृक्ष मंदिर vruksh mandir Swadhyay Pariwar - Tree temples

 'વૃક્ષ' આ શબ્દ સાંભળતાં જ હદયની ડાળી પર એક લીલીછમ કુંપળ ફૂટી નીકળે . એ ડાળીઓની વચ્ચેથી પસાર થાય વિસ્મયની લહેરખી .... કશુંક લીલુંછમ આંખો સામે ઉઘડવા માંડે . પર્ણોની ધીમી ગુફતેગો ડાળીના કાને અથડાયા કરે . ઘેઘૂર ડાળીઓ વચ્ચે સૂર્યના કિરણો પથરાતાં , અજવાળાનું ઝીણું નકશીકામ થવા માંડે . આંખોમાં પથરાવા માંડે વૃક્ષોનો લીલેરો વૈભવ . ઊડી ગયેલા પંખીના ટહુકાનો પગરવ સચવાઈ જાય . ઝુકેલી ડાળીઓના ખભા પર ..... 'વૃક્ષ' એ તો ઈશ્વરના હાથથી લખાયેલી લીલીછમ લિપિ . આ લિપિને વાંચવા હદયની આંખ જોઈએ . વૃક્ષનું જીવન જ લીલુંછમ . પોતાના મૂળિયાં જમીનમાં દાટી પોતાનો રસ જાતે જ મેળવી લે . ધરાનું બંધન સ્વીકાર્યું હોવાથી ચોતરફ ફેલાઈ છે એની ઘટાઓ . ટાઢ , તાપ કે વરસાદને ઝીલતું દરેક ઋતુઓમાં ધબકતું વૃક્ષ . પથ્થર મારનારને ફળ આપે . શંકરની જેમ ઝેર પી લે છતાંય અમૃતરૂપી પ્રાણવાયુ આપે . બદલાની કોઈ આશા નહિ , આભાર કે કદરના બે મીઠા વેણની કોઈ અપેક્ષા નહિ , પોતાના મૂળિયાં ઔષધરૂપે આપે . પૂજાની સામગ્રી માટે ક્લ , પાન આપે . ભૂખ સંતોષવા ફળ આપે , થાકેલાને છાંયડો આપે . અન્યનો વિચાર કરતાં શીખવે તે વૃક્ષ . ગીતાના નિ : સ્વાર્થ કર્મને જે કોઈની સાથે સરખાવવું હોય તો વૃક્ષ સાથે સરખાવી શકાય . વૃક્ષ એ નિ : સ્વાર્થ પ્રેમનું પ્રતીક .

પરંતુ માનવને વૃક્ષમાં પણ લાકડું દેખાય છે . જે બળતણ પૂરું પાડે , ફર્નીચરમાં કામ લાગે . વૃક્ષના થડમાંથી જ માણસે બનાવ્યો કુહાડીનો હાથો .આંખમાં ભોગનું ઝેર ભરાતાં , હાથમાં કુહાડી આવતાં વૃક્ષોનું નિકંદન શરૂ થયું . જંગલો કપાવા માંડ્યા . વૃક્ષોની લાશો ઢળવા માંડી . આની પ્રતિક્રિયારૂપે દેશભરમાં વૃક્ષો બચાવવા માટે અનેક ઝુંબેશો શરૂ થઈ . વૃક્ષારોપણો પણ થયાં ; અભયારણ્યો રચાયાં . “ વૃક્ષ વાવો ” નાં આંદોલનો થયાં . વૃક્ષો રોપાય છે ખરા ; પણ મોટાં નથી થતા ; કારણ ઉછેર થતો નથી . કંઈક કેટલાય નવજાત શિશુ જેવા લીલાછમ છોડો યોગ્ય ઉછેર અને માવજતના અભાવે મુરઝાઈ જાય છે ; મરણને શરણ થાય છે . માત્ર 'ભોગ' ની જ દૃષ્ટિ લેવાથી વૃક્ષનો ભોગ લેવાય છે .કેટલાકની દ્રષ્ટિએ વૃક્ષનું મહત્વ સૌંદર્ય પૂરતું જ છે , બધું લીલુંછમ દેખાય , હરિયાળું લાગે ; સુંદરતામાં ઉમેરો થાય એ હેતુથી વૃક્ષારોપણ થાય.

વૃક્ષ તરફ જોવાની ભોગવાદી અને સૌંદર્યવાદી દષ્ટિ હોવાથી બંનેમાં અધૂરપ છે . ઉપયોગિતા અને સૌંદર્ય ઉપરાંત વૃક્ષમાં કાંઈક અધિક પણ છે . જેમ મનુષ્ય , પશુપંખીમાં પ્રભુ વસે છે એ રીતે વૃક્ષ વનસ્પતિમાં પણ પ્રભુ વસે છે તેથી વૃક્ષનું પૂજન એ તો ઈશપૂજન છે . 

"વનસ્પતિમાં જીવ છે ." એવી વિજ્ઞાનની માન્યતા છે ; જયારે અધ્યાત્મ કહે છે કે વનસ્પતિમાં શિવ છે ; પરંતુ જેમની સંવેદનાનો વ્યાપ કેવળ માનવ પૂરતો જ સીમિત નથી ; પરંતુ મા વસુંધરાના મુગટરૂપ વૃક્ષ સુધી વિસ્તરી ગયો છે એવા વાસંતી વિચારક પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ ( પૂજય दादाએ ) ' વનસ્પતિમાં વિશ્વપતિનો વાસ છે ' આ વિચાર મૂકી વૃક્ષ પાસે માત્ર સંરક્ષક કે માળી , માલિક કે મજૂર તથા ત્રાહિત કે તટસ્થ થઈને ન જતાં પૂજારી તરીકે પણ જઈ શકાય એવી સમજણ આપી. 

‘વૃક્ષમંદિર' આ શબ્દપ્રયોગ આપણા માટે નવો છે . મંદિર હોય ત્યાં ઈંટ ચૂનાનું ચણતર હોય. અંદર આરસ કે માટીની ભગવાનની મૂર્તિ હોય . વૃક્ષોની મૂર્તિ હોય એ વાત પહેલાં તો આપણા ગળે ઊતરે જ નહિ . વૃક્ષોની વાટિકા હોય . ઉપવન હોય પણ વૃક્ષોનું મંદિર હોય એવું કદી સાંભળ્યું નથી. વૃક્ષમાં ભગવાન હોઈ શકે એવું ક્યાંય જોયું કે જાણ્યું નથી . 

પૂજય दादाએ ઈશ્વરને વૃક્ષમાં જોયા છે તેથી જ તેમના હદયકોશમાંથી ‘ વૃક્ષમંદિર ’ જેવો અર્થસભર શબ્દ પ્રગટયો છે . તેઓ બાલતરુના પાંદડે પાંદડે બાલમુકુંદને જુએ છે . એમના આ વૃક્ષમંદિરમાં રણછોડ લપાયો નથી પણ ભાવના લીલાછમ રંગથી લીંપાયો છે . આમ પૂજય दादाએ વૃક્ષ જેતી આંખમાં ભકિતની નજર મૂકીને , મંદિર જોવાની દૃષ્ટિ આપી .
વૃક્ષમંદિર એટલે ધરતીને ખોળે રમતું દેવાલય . જેને નથી દ્વાર કે દીવાલ , છે માત્ર હરિયાળી ભાવ . જેમાં બિરાજે છે વિકાસ પામતી , વૃધ્ધિગંત થતી ચેતનવંતી તરુમૂર્તિઓ . આપણા મંદિરોના પ્રાંગણમાં વડ , પીપળો કે તુલસી હોય છે . તેમની પૂજા પણ થાય છે પણ તેમનું સ્થાન આંગણામાં , ગર્ભદ્વારમાં નહીં . જયારે અહીં તો વૃક્ષ જ સ્વયં મૂર્તિ ; કારણ અહીં વૃક્ષ તરફ જોવાનો દૃષ્ટિકોણ ઉપયોગ કે ઉપભોગથી ઉપર ઉપાસનાનો છે , ભોગ કે ભાવથી ઉપર ભકિતનો છે .
વૃક્ષની જ્યાં દેવરૂપે પ્રાણપ્રતિષ્ઠા થાય તે વૃક્ષમંદિર , પ્રાણપ્રતિષ્ઠા એટલે ‘ લૌકિકત્વમાં દેવત્વનો સંચાર ' . અહીં શ્રમનું સામાજિકીકરણ નથી , ઉપભોગની દૃષ્ટિ નથી કે નથી માત્ર સૌદર્યદષ્ટિ . અહીં તો છે ઉપાસનાભાવ . લીલાછમ ભાવ સાથે પ્રભુ પાસે બેસવું . નિષ્કામ ભાવે પોતાનું સ્વકર્મા ભગવાનને ચરણે ધરી શકાય . વૃક્ષની ડાળી પરથી તોડેલા ફૂલ કરતાં કર્મપુષ્પની સુગંધ અનોખી હોય . આ સુગંધ જે વહેતી વહેતી ભગવાનના ચરણને પલાળે તો ભગવાનના લાડકા થવાય . એના ખોળે બેસી શકાય . સામાન્યોમાં આ સમજ ઊભી થતાં તેઓ વિચારતા થયા . ભકિત આટલી સરળ હોય તેની કલ્પના જ નહોતી . કોદાળી અને પાવડાથી પણ ભકિત થઈ શકે . આ વિચાર મળતાં જ તેઓમાં કામ કરવાની તાલાવેલી જન્મી . પોતાની આવડતનો હોમ કરવાની તૈયારી નિર્માણ થઈ . આવા યશ કાર્યમાં સામેલ થશું તો રોજીંદા જીવનમાં પણ શોભા અને સુગંધ વધશે એવું લાગવા માંડ્યું . આત્મશ્રદ્ધા જાગૃત થઈ . સ્વાધ્યાય દ્વારા માનવ માનવને ભગવાનના દીકરા તરીકે જોવાની દષ્ટિ મળી હોવાથી દૈવી સંબંધ નિર્માણ થાય . ઉપવન પર સી શ્રમભકિત માટે ભેગા થાય . સૌના રંગઉમંગ જુદા . ત્રીકમ અને પાવડા એ પૂજાના સાધનો થાય . જે કાર્ય પાછળ પ્રભુ જોડે જોડાવાનો ભાવ હોય તે પ્રત્યેક કૃતિ માનવને ભગવાન જોડે . સૌ સાથે મળીને ભાવગીતો ગાતા , શ્લોકો વહાવતા શ્રમભકિત કરે . ઉપવન તૈયાર થાય . 

હવે ઉપવનમાં મૂર્તિઓ સ્થાપવાની ... વૃક્ષની મૂર્તિઓની શોભાયાત્રા નીકળે . સૂત્રોથી વાતાવરણ સભર બને . સૌ વાજતે ગાજતે ઉપવન પર તે આવે . રોપા માટે ખાડાઓ અગાઉથી તૈયાર કરેલા હોય . સૌ પ્રેમથી નીતરતા , બાલતને સાથમાં લઈ નિયત સ્થાને હાજર થાય . શાસ્ત્રોકત પૂજાવિધિ થાય , વેદમંત્રોચ્ચારનું ગુંજન વાતાવરણને આંદોલિત કરી મૂકે . સૂકતો ગવાય . પંચદેવનું આવાહન થાય ને ત્યાર બાદ બાલતરુઓની પ્રાણપ્રતિષ્ઠા થાય . ને આકાર લે વૃક્ષમંદિર . છોડમાં રણછોડ બિરાજે . ઉપવનમાં ઊભા થયેલ વૃક્ષ મંદિરને સાચવવા ચોકીદાર નહિ પણ પૂજારી આવે , આ ઉપવનના માલિક માત્ર ભગવાન , , , , આવનાર ભગવાનનો પૂજારી ..... એ નથી માલિક કે નથી મજૂર ... એ વાહિત કે તટસ્થ પણ નથી , વૃક્ષમંદિરમાં માવીને જીવન લીલુંછમ બને એ જ આવનારના અંતરની ઝંખના . 
ઉપવનમાં બધા જ લોકો આવે , ભેદનો છેદ ઉડાડી સૌ ભેગા મળે . આત્મીયતાનો દોર વધુ પાકો કરે . જુદા જુદા ગામના પૂજારીઓ આવે , બાલારૂઓની પ્રેમથી સંભાળ રાખે . ભાવસંબંધનું ઝરણું ખળખળ કરતું વહેવા માંડે . પ્રકૃતિની કિતાબનાં પાનાં હળવે હળવે વંચાતા જાય . લીલીછમ લાગણીની લિપિ ઉકેલાવા માંડે . સૌ ભેગા મળે એટલે સ્વાધ્યાયની વાતો થાય , અરસપરસ પ્રેમ અને વિચારની આપ - લે થાય . સાથે પ્રાર્થના થાય . સ્તોત્રો ગવાય . ભાવગીતોની ભીનાશમાં સૌ ભીજાય . સવાર સાંજ સાથે જ જમે ...
 
सं वो मनांसि जानतम्----

આ વેદમંત્રને જાણે અહીં વચા મળે.

આ પ્રયોગથી ગામ અને શહેર વચ્ચેની દીવાલ તૂટવા લાગી છે. અભણ અને શિક્ષિત સાથે બેસતા થયા છે . 

જુદા જુદા ગામો વચ્ચે એકતાની એક સમાન રેખા દોરાવા માંડી છે. શ્રેષની ભાષા ભૂંસાવા માંડી છે. સામાજિક પ્રતિષ્ઠા અને વૈયકિતક અહમ્ ના મહોરાઓ ઉતરવા લાગ્યા છે . 

માણસ માણસને ભગવાનના દીકરા તરીકે ઓળખવા લાગે તો પરસ્પર ભ્રાતૃભાવ નિર્માણ થાય . દેશની અખંડતા અને કોમી એખલાસના ઢોલનગારાં વગાડતા સમાજસેવકો રાજકારણીઓ એકાદ લટાર ઉપવનમાં કેમ ન મારે ? જેથી માણસના ગૌરવની, માણસ - માણસ વચ્ચેના સંબંધની તેમને રૂપરેખા મળે .

આજે માણસ સ્વાર્થના કુંડાળાની બહાર પગ મૂકતો નથી. તેના જીવનના કેન્દ્રમાં છે પૈસો. ભાવજીવન મૂરઝાવા માંડયું છે અને તત્ત્વ સાથેનો તેનો સંબંધ તૂટી ગયો છે. "ફાયદો" એ જ એના શ્વાસોમાંથી ઊઠતી માંગ છે. પ્રત્યેક બાબતનું મૂલ્ય આંકવાને તે ટેવાયો છે. જયારે ઉપવનના પૂજારીને આ પ્રશ્ન નથી સતાવતો; કારણ તેનો શ્રમ જ અમૂલ્ય છે. તેની સાથે તેની અંદર બેઠેલો ભગવાન પણ કામ કરે છે. તેની કિંમત શું આંકીશું ? 

આત્મસંતોષ અને પ્રભુસંતોષ આ બે મોટી પ્રેરણા છે. ઉપવનના પૂજારીઓને વૃક્ષપૂજન કરવા માટે આ બે પ્રેરણા બસ થઈ રહે છે તેથી બહારની વધારાની પ્રેરણાની જરૂર નથી પડતી . 

દૈવી વૃત્તિથી કર્મ કરતો પૂજારી ધીમે ધીમે પોતાની આજીવિકાના કર્મ પ્રત્યે પણ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતો જશે. જે જગ્યાએ હું કામ કરીશ તે મારી ઉપાસનાની જગ્યા ---મંદિર--- છે આ ભાવના કેળવાશે .

ઉપવન ઉપાસનાની જગ્યા હોવાથી ત્યાંના વાતાવરણમાં હોય છે ભાવની ભીનાશ ; હરિના હેતની હૂંફ. પ્રભુપ્રેમના માધ્યમથી માણસ માણસ વચ્ચેનો ભેદ ભૂંસી શકાય છે . આમ ભેદની દીવાલો તોડીને પૂજય दादाએ બે માણસના હૈયા વચ્ચેના અંતરને કાપી નાખ્યું છે. 

વૃક્ષમંદિરમાં કેળવાય છે વિશુદ્ધ ભકિતમય દષ્ટિ . અહીં આવનારને મળે છે મનની શાંતિ. અનુભવાય છે વાતાવરણનો આહલાદક સ્પર્શ. દિવ્ય જીવન જીવવા માટેની મળે છે પ્રેરણા. કૌટુંબિક , સામાજિક અશાંતિ લઈને આવેલા છે માનવોને મળે છે વૃક્ષનો લીલેરો સ્પર્શ. એના છાંયડામાં થાય છે સળગતા પ્રશ્નોનું સમાધાન.હદયની દુર્બળતા અહી પરેશાન નહિ કરે; કારણ મળશે અહીં કોયડાઓનો ઉકેલ. છૂટશે ગાંઠો. દુ:ખ અને હતાશા સાથે આવેલો માનવી , સ્વસ્થતા અને ઉત્સાહ મેળવીને જશે . સૂકો માણસ ફરી લીલોછમ થાય એ જ વૃક્ષમંદિરથી વહેતા વહેણનો ઈશારો .

વૃક્ષમંદિરનો પ્રયોગ એ વૃક્ષ પરનો પ્રયોગ નથી પણ માણસ પરનો પ્રયોગ છે. 

પૂજય दादाની આ વૃક્ષમંદિરની કલ્પના નવતર છે. પણ એ માત્ર કલ્પના ન રહેતાં સાકાર રૂપે દેખાય છે. માણસ માણસ વચ્ચે આત્મીય સંબંધોની સૌરભ પથરાવા માંડી છે . दादाએ વૃક્ષને મંદિર કહીને લોકભકિતને છોડમાં રણછોડ જોતી કરી છે. 

વૃક્ષમંદિર એ લીલુંછમ મંદિર છે. આ મંદિરમાં કોઈ કોલાહલ નથી; પણ પંખીઓનો મીઠો કલરવ છે. અહીં તો છે વૃક્ષાકારની મૂર્તિ. હરિયાળા મંદિર પર ફરફરે છે લીલા પર્ણોની ધજા. અહીં ઘુમ્મટ કે કળશ નથી . આરસ કે કોતરકામ નથી. અહીંની હવામાં છે ભકિતનો ભાવ. દુ:ખી હૈયા પર ફરે છે અહીંયા હેતનો હૂંફાળો હાથ . આ મંદિરમાં આવનાર પૂજારી છે --- જે પૂજા કરી, પ્રેરણા મેળવી, પ્રસાદને પામે છે . 'જીવનપુષ્પ ખીલતાં રહે' એ વૃક્ષમંદિરમાંથી પસાર થતા પવનનો સંદેશ છે . 

વૃક્ષમાં જે ઈશ્વર જોઈ શકે એ જ વૃક્ષને મંદિર કહી શકે. જેમના હદય વૃક્ષોના, એને જ ફૂલો આવે. પૂજય दादाનાં લીલાછમ હદયની ડાળીએ ફૂટેલું ફૂલ એટલે વૃક્ષમંદિર . આ પ્રયોગથી એમણે માનવ --- મંદિરની ભીતર વસેલા હરિના હોઠો પર હરિયાળું સ્મિત મૂકયું છે. માનવ માનવ વચ્ચે ઐકયનું ગીત વહેતું કર્યું છે. એમની વૃક્ષમાં મંદિર જોવાની અનોખી રીત સામે હૈયું ડાળીની જેમ ઝૂકી જાય છે.



Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim
Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

1 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.