What is trikal sandhya ?

"ત્રિકાલ સંધ્યા".


trikal sandhya, trikal sandhya pdf, trikal sandhya shlok, what is trikal sandhya, How to do Trikal Sandhya, Videos of Trikal Sandhya, Mantra & Shlokas: Trikal Sandhya, Insurance, Loans, Mortgage, Attorney, Credit, Lawyer, Donate, Degree, Hosting, Claim, World Trade Center Footage, Webex Costs, Virtual Data Rooms, Structures Annuity Settlement, Sell Annuity Payment, Royalty-Free Images Stock, Register Free Domains, Psychic for Free, Ph.D. in Counseling Education, Personal Injury Lawyers, Personal Injury Law Firm, PaperPort Promotional Code, Online Stock Trading, Online Motor Insurance Quotes, Donate your Car for Money, Online Colleges, Neuson, Online Classes, Nunavut Culture, Online College Course, Motor Replacements, Motor Insurance Quotes, Mortgage Adviser, Met Auto, Mesothelioma Law Firm, Massage School Dallas Texas, Low Credit Line Credit Cards, Life Insurance Co Lincoln, Insurance Companies, Injury Lawyers, How to Donate A Car in California, Home Phone Internet Bundle, Holland Michigan College, Health Records, Personal Health Record, Hard drive Data Recovery Services, Donate Old Cars to Charity, Forex Trading Platform, Forensics Online Course, Email Bulk Service, Donating Used Cars to Charity, Donating a Car in Maryland, Donate Your Car Sacramento, Online Criminal Justice Degree, Donate Your Car for Kids, Futuristic Architecture, Donate Cars in MA, Data Recovery Raid, Donate Car to Charity California, Donate Car for Tax Credit, Car Insurance Quotes PA.

ગાયને કેવું સરસ વાગેળતાં આવડે છે ! માછલીને જન્મતાંની જ તરતાં આવડે છે . ગાયનું વાછરડું જન્મતાંની સાથે જ ચાર પગે ટટ્ટાર ઊભું રહે છે . ઢોરઢાંખર પાસે વનસ્પતિશાસ્ત્રની ડીગ્રી નથી છતાં એવી કઈ શકિત છે કે જેનાથી ચોમાસામાં ઊગેલી ઝેરી વનસ્પતિને ઓળખીને ન ખાતાં તેનાથી દૂર રહે છે ? ચકલી ઈજનેર નથી છતાં કેવો સરસ મજાનો માળો બાંધી શકે છે ! આ બઘાં દશ્યો જોઈએ ત્યારે આંખોમાં વિસ્મય છલકાવા માંડે .... આ અજબ ગજબની સૃષ્ટિ માટે અચરજ જન્મે ..... પશુપ્રાણી સૃષ્ટિને જોઈને જે આશ્ચર્યનો ભાવ જન્મે તેવો જ ભાવ બલ્કે તેના કરતાં પણ ઊંચેરો ભાવ ‘ માનવ'ને જોઈને થાય . માનવ એ તે ઈશ્વરની અનુપમ કલાકૃતિ ! માનવને નિર્માણ કરવા પાછળ આ સૃષ્ટિના સર્જકનો ચોકકસ કોઈ આશય હોવો જોઈએ એવું લાગે . આમ જોઈએ તો પશુપંખી પાસે જે અદ્ભુત શકિતઓ છે તે માણસ પાસે નથી જે . છતાં માણસની પાસે એવી બે અદ્ભુત શકિત ભગવાને આપી છે કે જેના વડે તે પોતાનો જીવનવિકાસ સાધી શકે . માનવજીવનની અમૂલ્ય ભેટ આપનાર આ સૃષ્ટિના સર્જકને ઓળખી શકે એટલું જ નહિ પણ સૃષ્ટિસર્જકનો લાડલો બનીને તેના ખોળામાં બેસી શકે . માણસને મળેલી આ બે અદ્ભુત શકિતઓ એટલે મન અને બુદ્ધિ . જેના આધારે માણસ કેવળ ભગવાનનો જ નહિ , ખુદ પણ ભગવાન બની શકે . મારામાં કંકરમાંથી શંકર , નરમાંથી નારાયણ અને જીવમાંથી શિવ થવાની શકિત રહેલી છે . આવો વિચાર ફફત માણસને જ આવી શકે . પશુસૃષ્ટિ અને માનવસૃષ્ટિમાં આહાર , નિદ્રા , ભય અને મૈથુન આ ચાર બાબતો સમાન છે . પરંતુ માનવમાં વિચારશકિત મૂકીને ભગવાને કમાલ કરી છે . આ જગતમાં ઈશ્વરનું અંતિમ સર્જન એટલે 'માનવ '
પ્રભુએ પોતાના લાડકા દીકરા માનવને મન , બુદ્ધિ , ચિત્ત અને અહંકાર આપીને સર્વશ્રેષ્ઠ બનાવ્યો છે . પ્રભુએ બક્ષેલી આ અજોડ શકિતને લીધે જ માનવ સંસાર ઉપર શાસન ચલાવી શકે છે . આમ વિચારશકિત એ માનવની વિશેષ શકિત છે . તેથી જ વિચારપૂર્વક જીવન જીવનાર માણસને જ ખરા અર્થમાં માનવ કહી શકાય . કેવળ માનવશરીર મળ્યું , આકાર મળ્યો એટલે શું માનવ થઈ જવાય ? માણસ એટલે કૃતજ્ઞતા . કોઈએ કરેલા ઉપકારનું જેને સ્મરણ હોય .... અસ્મિતાનું અજ્વાળું જેની અંદર ફેલાયેલું હોય એ માણસ ... જેની ભીતરમાં ભાવોની ભીનાશ હોય , સ્નેહથી ભાયેલો હોય એ માણસ .... માત્ર વિચાર જ નહિ , સાથે સાથે આચાર દ્વારા પણ સમર્થન કરતો રહે તે માણસ .....

કહેવાય છે ને કે મનુષ્ય એ તો સામાજિક પ્રાણી છે . શકિતશાળી બનવા માટે તેણે અનેકનો સહારો લેવો પડે . બીજાની પાસે જવું પડે . શારીરિક હો યા માનસિક , બૌધ્ધિક હો યા આધ્યાત્મિક વિકાસની સીડી શોધવા માટે , શોધીને મેળવવા માટે , મેળવીને સીડી પર ચઢવા માટે માણસને બીજાના સાથની જરૂર પડે . , ઈ . બીજાના સાથીને જરૂર પડે . ભગવાન , મા - બાપ , સંસ્કૃતિ અને ઋષિ આ બધાના પ્રેમનું નિ : સીમ પરિણામ એટલે આપણે માનવજીવન . આ પ્રેમધારામાં ભીંજાઈને , કૃતજ્ઞતાપૂર્વક આ બધાનું સ્મરણ થાય તો માનવની ભીતર રહેલું માનવ્ય વિકસિત થઈ રહ્યું છે એ વાત સાચી પુરવાર થાય . 

'मातृदेवो भव। पितृदेवो भव। आचार्य देवो भव। જેવા સૂત્રો આપણી ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે . તે એટલા માટે જ કે માણસ જે કૃતજ્ઞી બનશે , તે જે ભીતરથી સુકાવા માંડશે તો એ પણ પશુની પંગતમાં બેસી જશે . પછી માણસ અને પશુ વચ્ચે ભેદ પાડવાની જરૂર નહિ રહે . 

આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતા'ની યાદ અપાવે છે . મા - બાપ અને ઋષિઓના જણનો પ્રતિસાદ એટલે કૃતજ્ઞાતા . તેમના તરફ પીઠ ફેરવવી નહિ પણ આદરપૂર્વક સામે ઊભા રહી ભાવથી મસ્તક નમાવવું એટલે કૃતજ્ઞતા . જે વિશ્વસર્જકે ' માનવ ' તરીકેની ઉત્તમ કલાકૃતિનું સર્જન કર્યું એ સર્જકનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ એ જ સાચી ભાવવંદના . કૃતજ્ઞતાની એ જ સાચી ભવ્યતા ! પરમેશ્વરે આપણને દેહ આપ્યો , દેહમાં લોહીની દોડતું રાખ્યું . આ લોહી બન્યું કેવી રીતે ? આ લોહી બનાવનાર શકિત એ જ પરમેશ્વર . દેહનું પોષણ કરવા માટે અન્ન પણ તે જ નિર્માણ કરે છે.શરીર થાકી જાય ત્યારે નવો ઉત્સાહ નિર્માણ કરવા માટે ભગવાન પ્રેમથી ઊંઘાડે છે . ભગવાન માત્ર ઊંઘ નથી આપતો પણ સાથે સાથે આપણું હદય અને શ્વાસોચ્છુવાસ પણ એ કાળજીપૂર્વક ચલાવે છે . સવારે ફરીથી કાળજીપૂર્વક તે જેને ઊઠાડે છે . આમ જે શકિત ફાનસમાં રહેલા છે તેલની જેમ ન દેખાતાં આપણને સ્મૃતિ , શકિત અને શાંતિ આપી આપણું જીવન ટકાવી રહી છે તે શકિતનું ભાવપૂર્વક સ્મરણ કરવું જોઈએ એવું જેને લાગે તે કૃતજ્ઞ માનવ ... 

'ત્રણ વાત' માનવના જીવનમાં બહુ મોટી છે . સ્મૃતિ , શકિત અને શાંતિ . આ ત્રણવગર માનવજીવન શક્ય નથી . જે પરમેશ્વર મને આ વણ ક્ષણોમાં સાચવી લે છે એનું સ્મરણ જે ન કરું તો હું માનવ શાનો ? તો પછી મારામાં અને પશુમાં શો તફાવત ? આ ત્રણ ક્ષણોના ચહેરાને બીજી રીતે પણ ઓળખી શકાય . ઉત્પત્તિ , સ્થિતિ અને લય . સવારે પથારીમાંથી ઊઠે ત્યારે તેની ઉત્પત્તિ થાય , તે જમવા બેસે ત્યારે તેની સ્થિતિ અને સૂઈ જાય ત્યારે તેનો લય થાય , આમ આ ત્રણ ક્ષણોમાં પ્રભુનું સ્મરણ એટલે ત્રિકાળ સંધ્યા . ભારતીય સંસ્કૃતિએ આપણને સોળ સંસ્કારોની સમજ આપી છે . આમાંનો મહત્ત્વનો એક સંસ્કાર એટલે ઉપનયન ( જનોઈ ) . પ્રભુ સતત મારી સાથે છે તેનું સ્મરણ રહે તે માટે જનોઈ હતી . નિત્યકર્મ તરીકે ઋષિઓએ સંધ્યા કરવા કહ્યું . આમ સંધ્યા અને જનોઈ માનવની અંદર રહેલા ભગવાનની સતત યાદ અપાવે છે . “ ભગવાન મારી સાથે છે . આ સમજણ જે સતત ચૂંટાયા કરે તો માણસમાં ઉત્સાહ પાકો થાય , સ્કૃતિને ટકવાનું મન થાય અને નિયંત્રણ સહજ બને . 

પરંતુ કાળક્રમે આ સંધ્યા અને જનોઈનો વિચાર ચાલ્યો ગયો અને રહ્યો માત્ર આચાર . કર્મકાંડ રહ્યું અને બુદ્ધિનું તત્ત્વ ઘસાતું ચાલ્યું . સૌ વ્યવહારમાં વ્યસ્ત થયા અને વિજ્ઞાન વિસરાયું . મંત્ર ભૂલાયો ને સૌ તંત્ર પાછળ ભાગવા માંડયા . સંધ્યા અને જનોઈ માત્ર બ્રાહ્મણોના વિશેષાધિકાર બન્યા . બ્રાહ્મણો કર્મકાંડના કૂવામાં પડયા . જનોઈ કર્મકાંડના ગુંચવાડામાં ગુંચવાઈ ગઈ . સંધ્યા તાંબાના લોટામાંથી પડતી જેલની ધારામાં તણાઈ ગઈ.
આજે ત્રિકાળ સંધ્યા ' આ શબ્દ સાંભળતાં જ બુદ્ધિજીવીઓ નાકનું ટેરવું ચઢાવી દે છે . સામાન્ય માણસ “ આ તો બ્રાહ્મણોનું કામ ’ કહી આઘા ખસી જાય છે . સાંસ્કૃતિક હથિયારો પર ચડેલી ધૂળને ખંખેરવા માટે કોણ આગળ આવે ? સવાલ એ નથી કે સવાલ હલ કોણ કરશે ? સવાલ એ છે કે પહેલ કોણ કરશે ? પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી એ પ્રભાતના પહેલા કિરણનું નામ છે . તેમણે સમસ્યા જોઈ . એના પર વિચાર કર્યો . હલ શોધી કાઢ્યો અને માત્ર હલ પોતાની પાસે ન રાખતાં એમણે સમાજમાં એ હલ મૂકવાની પહેલ કરી . ત્રિકાળ સંધ્યા પાછળ રહેલી સાચી સમજને લઈને તેઓ આગળ આવ્યા . એટલું જ નહિ બીજાની સાથે ચાલ્યા ... સાથે ચાલનારને પણ આગળ લઈ ગયા .
પૂજ્ય दादाના વિચારોમાં માણસ એકલો નથી પણ ઈશ્વર એની સાથે છે . માણસ પાસે પૈસા ન હોય , સત્તા ન હોય . કીર્તિ ન હોય તો પણ ભગવાન પોતાની સાથે છે એ વિચારના બળથી જે માણસ બેઠો થઈ જાય . ભગવાન મારાથી ભિન્ન નથી . આ સમજણ જ મહાશકિત નિર્માણ કરે છે . આ ગહન વાતને दादाએ ઘરગથ્થુ ભાષામાં મૂકી માનવીય ચેતનાને ઊર્ધ્વગતિ ગીર આપી ‘ ત્રિકાળ સંધ્યા'એ दादाનું અભિનવ દર્શન છે આખા દિવસમાં ત્રણ સમયે કરવામાં આવતી ત્રિકાળ સંધ્યા એ માનવહૈયાનું ઈશ્વર તરફ વહેતું કૃતજ્ઞતાનું વહેણ છે . માણસ ચોવીસે કલાકની એક એક ભગવાનને યાદ કરતો ન બેસી રહી શકે . વ્યવહારમાં પણ એ શક્ય નથી . તેથી દિવસમાં ત્રણ વખત તો આપણે ભગવાનને યાદ કરી શકીએ ને ? જે શકિત ૩૬૫ દિવસ મા લોહી લાલ બનાવે છે , ફરવે છે તેના તરફ કૃતજ્ઞભાવે મારું અંત : કરણ આર્ટ પણ ન થાય તો હું માનવ શાનો ? આમ તેજસ્વી વિચારોની સુરંગ મૂકી , दादाએ વિસ્ફોટ કર્યો . ત્રિકાળ સંધ્યાની પરમાણુ શકિત પ્રગટાવી .
સંધ્યા એટલે સાંજ ; સંધિકાળ . સવારે ઊઠતી વખતે સુષુપ્તિમાંથી જાગૃતિ ; જમતી વખતે અતૃપ્તિમાંથી તૃપ્તિ અને ઊંઘતી વખતે જાગૃતિમાંથી સુષુપ્તિનો સંધિકાળ હોય . આ ત્રિકાળ સંધિકાળમાં જીવન સાચવનાર પ્રભુને યાદ કરવા એ જ સાચી સંધ્યા ! 

રોજ સવારે આંખો કોણ ખોલે છે ? કોનો પ્રેમાળ હાથ , બિડાયેલી પાંપણોને ખોલવા માંડે છે ? પાંપણો ઉઘાડતાં જે કોણ સ્મૃતિની સોગાત લઈને ફરી પાછું નવેસરથી ઊભું રહી જાય છે આંખોના દરવાજે ? આખા દિવસનો થાક પછી લોથપોથ થઈ પથારી પર જઈએ છીએ , ત્યારે ક્યાં જાય છે સ્મૃતિ ? કોણ સંતાડે છે મૃતિના ચહેરાને ? આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓનું આપણને ભાન નથી હોતું ; છતાં પણ બધું ચાલે છે , ખૂબ વ્યવસ્થિત ચાલે છે , ઈશ્વર નામનો સંત્રી જાગતો રહે છે . શરીર ચલાવતો રહે છે . ભગવાન મને ફરી સવારે ઉઠાડશે એની પૂર્ણ ખાતરી છે , તેથી જ આપણે નિશ્ચિતપણે સૂઈ શકીએ છીએ .
घेतो झोप सुखे फिरून उठतो ही ईश्वराची दया
અહીં ‘ દયા ’ શબ્દમાં પારકાપણું નથી ; પણ આત્મીયતાની સુગંધ છે . સવારે ધરિ ધીર પાંપણો ખુલતી હોય ત્યારે પ્રભુના કારૂણ્યનો સ્પર્શ અનુભવાય . કૃતજ્ઞતાપૂર્વક પ્રભુને યાદ કરીએ તો એ ભીનાશ ભીતરમાં ફરી વળે ; પણ પ્રભુને યાદ કેવી રીતે કરવાના ? ક્યા શબ્દોમાં ? ભીતરમાં કૃતજ્ઞતાનું સરોવર છલકાવા માંડે પછી ક્યા શબ્દોના કમળ ખીલે ?  

ઋષિઓએ મંત્રોના પુષ્પો આપ્યા , જેમાં સામાન્ય માનવના અવ્યકત ભાવોની સુગંધ લપાયેલી છે . સૂર્યનું પહેલું કિરણ પડતાં , પરોઢ થતાં માણસ જો કરદર્શન અને ભૂમિદર્શન કરે તો માણસ અસ્મિતાયુકત  જીવન જીવવાને તત્પર બને , પુરૂષાર્થનું પૂજન કરતો થાય ; પોતાના પરનો તેમજ પ્રભુ પરનો વિશ્વાસ દ્રઢ થાય , માણસમાં એક નવી જ ચેતના પ્રગટે .
ભૂમિવંદન કરવાથી તેનામાં ભાવનાત્મક દ્રષ્ટિકોણ કેળવાય . આ સૃષ્ટિ બનાવનાર મારી જોડે મારી અંદર રહેલો છે . એકવાર જે આ સમજ સ્થિર થાય તો આત્મગૌરવનું અજવાળું તેની અંદર પથરાય . 

જેમ હું સૂર્યનું કિરણ છું ; તેમ બીજા પણ મારા જેવા કિરણો છે . આ ઉજાસ જે ભીતરમાં પથરાય તો બીજાને માટે આદરભાવ જન્મે . 
સ્મૃતિને ગુલદસ્તો લઈને કોણ આવે છે રોજ સવારે પાંપણ ધારે ? ભૂખ કોણે નિર્માણ કરી ? અન્ન કોણે ઉગાડયું ? કોળિયાનું લોહીમાં રૂપાંતર કોણે કર્યું ? સમગ્ર વિશ્વમાં લોહીનો રંગ લાલ કોણ રાખે છે ? આ બઘા પ્રશ્નોનો ઉત્તર ... ઈશ્વર ... જે અતૃપ્ત માણસને તૃપ્તિનું વરદાન આપે , શકિતનું દાન આપે , જેથી આપણે ફરી કાર્યરત થઈ શકીએ . આ શકિત આપનાર સર્જકને યાદ કરતાં હૈયું વિસ્મયથી છલકાઈ જાય છે . આંખમાં અચરજ , હોઠો પર ઉગાર ચિન્હ બેસી જાય છે . વાહ ! આ તો પ્રભુની કૃપા ! આ બધા પાછળ ભગવાનનો હાથ છે . એ નેપથ્યમાં રહીને સમગ્ર સૃષ્ટિનું સંચલન કર્યા કરે છે . આખો દિવસ આપણે જીવન સંઘર્ષમાં વીતાવવો પડે . મન પર અનેક આઘાત પ્રત્યાઘાત થાય . દ્વંદ્વોના હુમલા મનને ક્ષણે ક્ષણે લોહીલુહાણ કરી મૂકે . બંઘાતી રહે . આ બધું સહન કરતાં કરતાં મનને હાથમાં રાખી . તે છે નિદ્રા . સૂતી વખતે મન જે વિચાર લઈને સવારે જાગે . સમગ્ર ઊંઘ દરમ્યાન ચિંતાના પોટલા બંઘાતા રહે . ગાંઠ છૂટતી અને સ્વસ્થ રાખવા સર્જનહારે જડીબુટ્ટી પોતાના તે મન સાથે રહે તેથી રાતે પ્રાર્થના કરીને , ભગવાનની સ્મૃતિ લઈને ઊંઘવાથી મનનું શુદ્ધિકરણ થાય . 
આપણે આભાર માનીએ કે ન માનીએ સવારે સૂરજ ઊગવાનો છે , ફૂલ ખીલવાના છે ; પંખીના મીઠા કલરવથી વાતાવરણ સંગીતમય બનવાનું છે ; ઋતુઓના ચક્ર ચાલવાના છે ; વરસાદ પડવાનો છે , માટી ભીની થઈને મહેકી ઊઠવાની છે , સવારે સ્મૃતિ લઈને કોઈ બારણે ઊભું રહેવાનું છે . ભૂખ લાગતાં કોળિયો અંદર જવાનો છે . લાલ લોહીમાં રૂપાંતર થવાનું છે . માણસ કામ કરવાનો છે ; થાકવાનો છે . પથારી પર પડતાં જ નિદ્રાના ખોળે સરી જવાનો છે . કોઈનો હુંફાળો હેત નીતરતો હાથ થાકને હરી લેવાનો છે . કોણ કરે છે આ બધું ? કોનો પ્રેમપ્રવાહ વહી રહ્યો છે ? આ કઈ શકિત જીવનતત્ત્વને સાચવી રહી છે , સંભાળી રહી છે ? તે શકિતને કૃતજ્ઞ રહેવા જેટલો હું સભ્ય માણસ ન હોઉં તો હું સુધરેલો શાનો ? મારા આભારની એ મહાન શૈકિતને આવશ્યકતા નથી . પણ મારા વિકાસ માટે આ ત્રિકાળ સંધ્યા આવશ્યક છે . સતત , નિયમિત અને સમજણપૂર્વક થતી ત્રિકાળ સંધ્યાના પરિણામે પ્રભુસમીપતાના વિચારોનું દઢીકરણ થાય . આનાથી પ્રભુના અસ્તિત્વનું , પ્રભુના સામીપ્યનું અને પ્રભુના સાન્નિધ્યનું જ્ઞાન થાય . 
લોહીના સંબંધ કરતાં લોહી બનાવરનો સંબંધ શ્રેષ્ઠ છે ” આ વિચાર આપી આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ એ સમજણ પૂજય दादाએ ઊભી કરી છે . ત્રિકાળ સંધ્યાનો અભિનવ પ્રયોગ કરીને તેમણે ભાષાભેદ , વર્ણભેદ , જાતિભેદ , વર્ગભેદ , વિદ્યાભેદ , સત્તાભેદ તથા ધર્મભેદ વગેરે ભેદના છેદ ઉડાડી દીધા છે . 
આજે જયારે ભોગવાદ , ભૌતિક પ્રગતિ અને કેવળ સ્વાર્થનો જ વિચાર પ્રત્યેક માણસ કરતા રહ્યો છે , ત્યારે ત્રિકાળ સંધ્યા દ્વારા પૂજય दादाએ આધ્યાત્મિક ક્રાંતિ કરી છે . 

Bhakti is a social force ભકિત એ સામાજિક શકિત છે . ભકિતથી જ સમાજના દરેક ક્ષેત્રમાં સાચી ક્રાંતિ થઈ શકે છે - એ પ્રયોગવીર પાંડુરંગે કરી બતાવ્યું .વ્યવહારુ , સુલભ , સર્વજનમાન્ય અને શાસ્ત્રમાન્ય જીવનપ્રણાલી ત્રિકાળસંદ્યાના પ્રયોગ દ્વારા તેમણે ઊભી કરી . સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ડહોળાયેલા વિચારપ્રવાહોને ભકિતની ભૂમિકાથી શુદ્ધ કરવાનું ભગીરથ કાર્ય પણ કર્યું . ત્રિકાળસંધ્યા એ કર્મકાંડ નથી ; પણ પિડ બ્રહ્માંડ છે . ત્રિકાળ સંધ્યા એક એવી અણુશક્તિ છે જેના વિસ્ફોટથી ઝળહળતા તેજસ્વી માનવ સમાજમાં પ્રગટે . પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી નામની પ્રયોગશાળામાં ત્રિકાળસંધ્યા નામની અણુશકિત તૈયાર થઈ ચૂકી છે , અનેક માનવીઓની ભીતરમાં ગોઠવાઈ ગઈ છે . વિસ્ફોટ થઈ રહ્યો છે . ધર ... ધીરે ..... કાન ફાડી નાખે એવો અવાજ નહિ સંભળાય . અહીં તો હૈયું ફાડીને અજવાળું રેલાશે . આંખો સામેથી એક તેજરેખા આકાશી માર્ગે પસાર થઈ રહી છે . ક્યા વિકલ્પ ઉપાડશો ? અજવાળું આંખમાં ભરી લેવાનો ?
 કે
આંખ બંધ કરીને પોતાના જ અંધકારમાં ફરી ઊતરી જવાનો ? ? ?

👇Checkout Instagram posts👇

Post a Comment

0 Comments