O God ! Let the Divine thoughts come to me from Pujya Pandurang Shastri Athavale

હે, પ્રભુ !...દૈવી વિચારો મને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે તરફથી આવવા દો...

 
pandurang-shastri-athavale-books-balpan-speech-pravachan-dada-pandurang-shastri athavale-swadhyay-parivar-bhavgeet-of-swadhyay-parivar pandurang-photo

ભારતની ભૂમિ સંતો(#Saints), મહંતો(#Mahanta), ઋષિઓ(#Sages) અને અવતારો(#Avatars)ના પાવન પ્રાગટ્યની પવિત્ર ભૂમિ છે. પણ આજે કોઈને ભારતમાં રહેવા જેવું લાગતું નથી. થોડો ઘણો હોશિયાર વિદ્યાર્થી પણ ભારતમાંથી ટેક-ઓફ(Take-off) થવા અને  વિદેશમાં સેટલ(#settle) થવા તલપાપડ હોય. પરંતુ ઓગણીસો ચોપન(૧૯૫૪)ના વર્ષમાં અમેરિકાનો એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક(#scientist) કે જેનો પ્રભાવ યુનો(UNO)માં હોય અને અમેરિકાના પ્રમુખ(President of America) સાથે પણ સારા સંબંધો હોય તે સામેથી અમેરિકા આવવાનું આમંત્રણ આપે અને તે પણ બધી સુખ-સગવડો સાથે. અને તેની આ 'ઓફર'નો એક ભારતીય દ્વારા આદરપૂર્વક અસ્વીકાર કરવામાં આવે તે માનવામાં ન આવે તેવી વાત છે. પણ હા આ સત્ય ઘટના ઘટેલી છે અને આ ભારતીયનું નામ છે, "પાંડુરંગ શાસ્ત્રી આઠવલે".
 
ઓગણીસ ઓક્ટોબર(19th October) તારીખ પ્રમાણે સ્વાઘ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિવસ છે. ફક્ત ચોત્રીસ વર્ષની ઉંમરે જાપાનમાં યોજાયેલી બીજી વિશ્વ ધર્મ પરિષદમાં ગયેલા આ યુવા પાંડુરંગને હજુ કોઈ ઓળખતું પણહતું. પણ જેમ ઝવેરી હીરાને પારખી કાઢે તેમ અમેરિકાના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને વિચારક ક્રોમ્પટન(#Crompton) સાહેબેને પાંડુરંગ શાસ્ત્રોમાં વિરાટ પ્રતિભાના દર્શન થયા હતા અને તેઓ તેનો લાભ અમેરિકાના લોકોને આપવા માંગતા હતા. અને તેથી તેમણે બધી સગવડો સાથે દર વર્ષે ભારતમાં એક લાખ રૂપિયા જમા કરાવવાની ઓફર આપી. કેટલી મોટી ઓફર હતી . અમેરિકામાં સરકારી મહેમાન તરીકે બધી જ સગવડો સાથે રહેવાનું, એટલું જ નહિ પણ એક તત્વચિંતક તરીકે આખા વિશ્વમાં ફરવાનું, ભાષણો આપવાના, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ(international conference)માં જવાનું. અને જો ના પાડે તો અહીં એક પ્રવચનકાર તરીકે રહેવાનું. આઝાદી પહેલાના ડર્ટી(#Dirty) ભારતમાં પર્યાવરણનો સોથ નીકળવાનો હજી બાકી હતો. ગાંધીજી પણ જેનાથી વ્યથિત હતા તે જ્ઞાતિવાદ અને અસ્પ્રુશ્યતાના ભોરિંગમાં ભારતનો ભવ્ય હિન્દૂ ધર્મ ભરડાઈ ગયો હતો. અને ધર્મના પ્રતિનિધીઓએ ધર્મને અગરબત્તી, હોમ-હવન અને યજ્ઞમાં ધરબી દીધો હતો. એક સમયની સોનાની ચીડિયા છેલ્લા એક હજાર વર્ષના શોષણને લીધે સુકાઈ ગઈ હતી. અને તેના માટે મોગલો અને અંગ્રેજો ઉપર જવાબદારીનું ઠીકરું ફોડીને ખાલી ભાષણબાજી કરતુ રહેવું પાંડુરંગ શાસ્ત્રીને મંજુર ના હતું. તેને તો હાર્ટ ટુ હાર્ટ(heart to heart) અને હેડ ટુ હેડ(head to head) જવું હતું.
 
બાળપણમાં ગુરુકુળ પરંપરામાં ભણેલા પાંડુરંગ શાસ્ત્રીએ સારા-સારા ભેજબાજોને પણ ટપ્પા ના પડે તેવા દર્શન શાસ્ત્રો, બ્રહ્મહસૂત્રો પર પારંગત થયા બાદ મુંબઈની અતિશય સમૃદ્ધ રોયલ એશિયાટિક લાયબ્રેરી(Royal Asiatic Library)માં સતત દશ વર્ષ સુધી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો. ફ્રોઈડ(#freud), ડાર્વિન(#darwin), કાર્લ માર્ક્સ(#Karl Marx) જેવા વિશ્વચિંતકોના પ્રશ્નોના ઉત્તરો તેમણે શ્રીમદ્દ ભગવદ ગીતામાંથી ગોતી આપ્યા. ભગવાનના અસ્તિત્વનો ઇન્કાર કરવાવાળા સામ્યવાદીઓને તેના જ ગઢ એટલે કે તે સમયે ચાલતા બ્રેઈન ટ્રસ્ટ(brain trust)માં જઈને ઓપન ચેલેન્જ પણ કરેલી. ચેલેન્જ તો જીત્યા, પણ તેમને તો હિન્દુસ્તાનીઓના દિલ જીતવા હતા. અને તેથી આ બધા બૌદ્ધિકો સાથેની બધી માથાપચ્ચી નિરર્થક લાગી. તેમની નજર સામે 'રઘોબા'એ ફેંકેલા એંઠા પતરાળામાંથી પણ ખાવાની પડાપડી કરતા વંચિતો હતા. બાળપણમાં જોયેલું રોહા ગામનું એ દ્રશ્ય ક્યારેય ભુલાય નહિ તેવું હતું. કોઈ મંગલપ્રસંગે પંગત જમવાનું પૂરું કરે પછી વધેલા ખોરાકના પતરાળાને રઘોબા ઘા કરે અને પગથિયાં પણ ચડવા ના દે કારણ કે તેઓ બધા અસ્પ્રુશ્ય હતા, માનવ નહિ. ફેકવાવાળાને તો કોઈ તકલીફ ના હતી પરંતુ લેવાવાળાને પણ કોઈ દુઃખ ના હતું. આ ઘટનાએ પાંડુરંગ શાસ્ત્રી પર ખુબ અસર કરી અને નિશ્ચય કર્યો કે મનુષ્યનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવું. કામ તો ઘણા બધા કરવા હતા પરંતુ પૈસા વગર કોઈ કામ થાય નહિ અને પૈસા માગ્યા વગર મળે નહિ. પણ પાંડુરંગ શાસ્ત્રીને તો ભરોસો હતો "યોગક્ષેમં વહામ્યહં" ના મહામંત્ર પર. મહાન શિક્ષણ શાસ્ત્રી અને તત્વચિંતક ડૉ રાધાક્રિષ્નનને પણ અશક્ય લાગતું હતું છતાં પણ કોઈ પણ જાતના ફંડફાળા કે સરકારી સહાય વગર ઓગણીસો અઠાવન(૧૯૫૮)માં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના થઇ. શિક્ષણનો વેપાર ના થવો જોઈએ અને તેથી આજે પણ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં નચીકેતવૃત્તિનું નિર્માણ થાય તેવું શિક્ષણ ફ્રી ઓફ કોસ્ટ(free of cost) આપવામાં આવે છે. પછી તો પાંડુરંગ શાસ્ત્રીએ અનેક પ્રયોગોની હારમાળા આપી. મત્સ્યગંધા, યોગેશ્વર કૃષિ, અમૃતાલયમ, વૃક્ષ મંદિર ભક્તિફેરી અને તીર્થયાત્રા...અને આવા બીજા ઘણા બધા પ્રયોગો. પાંગળી બનેલી ભક્તિને જ્ઞાન અને કર્મની પાંખો આપી. "ભક્તિ એ એક સામાજિક શક્તિ છે"(bhakti is a social force) ના સિદ્ધાંત પર સ્વાધ્યાય પ્રવૃત્તિનો વિસ્તાર થવા લાગ્યો. સ્વાધ્યાયીઓની સંખ્યા લાખોમાં થઇ ગઈ. અને તેને પરિણામે સ્વાધ્યાય પ્રવૃત્તિની નોંધ વિશ્વકક્ષાએ લેવાવા લાગી. એવોર્ડ મેળવવા માટે એક પણ કામ નહિ કરનાર પાંડુરંગ શાસ્ત્રીની પાછળ મોટા-મોટા એવોર્ડ દેડકાની જેમ ડ્રાંઉં-ડ્રાંઉં કરતા કુદકા મારતા આવતા હતા. ઇન્દિરા પ્રિયદર્શની એવાર્ડ, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય તિલક સન્માન પારિતોષિક, રેમેન મેગેસેસે પુરસ્કાર, રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કાર, ટેમ્પલ્ટન પ્રાઇસ, રાષ્ટ્રભૂષણ પુરસ્કાર, રામશાસ્ત્રી પ્રભુણે પુરસ્કાર, પદ્મવિભૂષણ પુરસ્કાર ...
 
સૂર્ય નમસ્કાર અને કુણ્ડલિકા નદીમાં સ્વિમિંગ કરીને કસાયેલું શરીર હોવા છતાં પાંડુરંગ શાસ્ત્રીનું શરીર હવે એંસી વર્ષો ના અથાક પ્રયત્નો પછી હિસાબ માંગતું હતું. તેમની કાયા ઘસાઈને ચંદન બની ગઈ હતી અને લાખો લોકોના જીવનને સુવાસિત કરતી હતી. સ્વાધ્યાય કાર્ય ફક્ત માછીમાર કે આદિવાસી પૂરતું મર્યાદિત ના રહેતા ખેડૂત, અગરિયા, વાઘરી, ગ્રામીણ, શહેરી, બૌદ્ધિક, સંપન્ન, બધા જ પ્રકારના લોકોમાં ફેલાયેલું છે. સ્વાધ્યાયમાં એંશી ટકા(80%) યુવાનો છે. પૂજ્ય દાદાએ ધર્મને ફેંકી ના દીધો પણ તેના પરની ધૂળ ખંખેરી તર્કશુદ્ધ અને કર્મશુદ્ધ રીતે ધર્મના મૂલ્યો ફરી પાછા પ્રસ્થાપિત કર્યા. મુર્તીપુજાનું પરફેક્ટ સાયન્સ(Perfect Science) સમજાવ્યું, માણસનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવ્યું. શ્રીમદ્દ ભગવદ્દ ગીતા પૂજાપાના કપડામાંથી બહાર નીકળી સ્વાધ્યાયીઓના જીભ પર આવી. ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન મહાવીર, સ્વામી રામતીર્થ જેવા સત્પુરુષોના રસ્તે પૂજ્ય દાદાએ વર્ષ 2003ના દિવાળી(Saturday,25th October)ના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો અને લાખો (વિ)યોગી સ્વાધ્યાયીઓના હૃદયસ્થ થયા.પૂજ્ય દાદાનું સાશ્વત અસ્તિત્વ તો તેમના અંતઃકરણમાં હંમેશા રહેવાનું જ...

'Aano bhadra krtavo yantu vishwatah'
आनो भद्राः क्रतवो यन्तु विश्व्तो…
 
 
"O, God!... Let the Divine thoughts come to me from Pujya Pandurang Shastri Athavale”
 
 

Post a Comment

0 Comments