કુટુંબ પ્રાર્થના એટલે શું ?
કુટુંબ પ્રાર્થના એટલે શું ?
દરેક કુટુંબ પ્રાર્થના માટે સમય કાઢવા ભેગું મળે. એનાથી તેઓની ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા અને કુટુંબમાં એકબીજા સાથેનો સંબંધ મજબૂત થાય છે.
તેઓ કુટુંબની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને એવા વિષય પર નિરાંતે ચર્ચા કરે છે, જેથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય.
આ સમય ભગવાનની નજીક જવાનો છે. “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે ઈશ્વર તમારી પાસે આવશે.”
કુટુંબ તરીકે પ્રાર્થના શરૂ કરવાની એક સહેલી રીત એ છે કે સૌ સાથે મળીને થોડો સમય મોટેથી સ્વાધ્યાય ના પુસ્તકો વાંચીએ. એ માટે આપણે સ્વાધ્યાય ની પુસ્તિકામાંથી અઠવાડિયાના કાર્યક્રમ પ્રમાણે વાંચી શકીએ. કુટુંબમાં દરેકને અમુક ભાગ વાંચવા માટે કહી શકીએ. પછી બધા જણાવી શકે કે એ વાંચન માંથી પોતાને શું શીખવા મળ્યું.
એ સમય કુટુંબમાં એકબીજા સાથે સંબંધ મજબૂત કરવાનો છે. કુટુંબ તરીકે પુસ્તકો નો અભ્યાસ કરવાથી પતિ-પત્ની, મા-બાપ અને બાળકો વચ્ચેનો સંબંધ મજબૂત થાય છે. એ સમય આનંદ અને શાંતિભર્યો હોવો જોઈએ, જેની દરરોજ પરિવારના દરેક સભ્યો આતુરતાથી બધા રાહ જોતા હોવા જોઈએ. બાળકોની ઉંમર અને તેઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને મા-બાપ યોગ્ય વિષયની ચર્ચા કરી શકે.
બાળકોને શાળામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો, એને કઈ રીતે હલ કરવી એ વિશે પણ તમે વાત કરી શકો.
પ્રાર્થના માં જે ભાવગીતો ગાવાના હોય એની પ્રૅક્ટિસ કરી શકો. કુટુંબ તરીકે પ્રાર્થના કર્યા પછી હળવાશ જેવો કોઈ કાર્યક્રમ પણ ગોઠવી શકાય.
દર અઠવાડિયે પ્રાર્થના માટે આવો ખાસ સમય આપવાથી, કુટુંબમાં બધા સ્વાધ્યાય ના પુસ્તકો ના અભ્યાસની મજા માણી શકશે. તમારા પ્રયત્નો પર યોગેશ્વર ભગવાન જરૂર આશીર્વાદ આપશે.
➥ વધારે જાણવા આમ કરો:
પરિવાર ના ભાઈ-બહેનોને પૂછો કે કુટુંબ તરીકે પ્રાર્થના(ભક્તિ) કરવા તેઓ શું કરે છે. તમારાં બાળકોને સ્વાધ્યાય વિશે શીખવવા બીજું કયું સાહિત્ય પ્રાર્થનાઘરમાં છે એ તપાસો.
➥ કેટલાક સવાલો આપણા પોતાના માટે:
- કુટુંબ પ્રાર્થના કરવા આપણે કેમ સમય કાઢવો જોઈએ?
- કુટુંબ પ્રાર્થના કરવામાં બધાને મજા આવે એ માટે માબાપ શું કરી શકે?
- આપણા બાળકો કુટુંબ પ્રાથના માટે સામેથી કહે તે માટે દરેક માતા-પિતા એ પોતાના માં વ્યાવહારિક દ્રષ્ટિ એ શું ફેરફાર કરવા જોઈએ.
- કુટુંબના વડીલ તરીકે તમે પ્રાથનામાં કોઈ પણ બાબતને આડે આવવા ન દેશો
- કુટુંબના દરેક સભ્યને પહેલેથી જ જણાવો કે શાના વિશે ચર્ચા કરશો, જેથી દરેક જણ તૈયારી કરી શકે,
- કુટુંબના દરેક સભ્ય હાજર રહી શકે એવી ગોઠવણ કરો,
- બધાને મજા આવે એવું વાતાવરણ રાખો.
1 Comments
મને આ સ્વાધ્યાય મારુ જીવન બનાવું છે .મને સ્વાધ્યાય વગર દિવસ જ પસાર નથી થતો... મારો સવાલ એ છે કે પરમ પૂજ્ય દાદાજી એ અધિક માસ વિશે શું કહેલું છે...
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.