પ્રતીક દર્શન:ગોપૂજા
ગોપૂજા:
ગાય એક પવિત્ર પ્રાણી છે. પ્રાચીન સમયથી ભારત દેશમાં ગાયની પૂજા કરવામાં આવે છે.ગાયની પૂજા કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે. ગાય સાથે સંકળાયેલ ઘણી કથાઓ, દંતકથાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. માન્યતા છે કે હિંદુ દેવતાઓના લગભગ દરેક અવતાર (ભગવાન ના અવતાર)નો ગાયની અંદર વાસ છે, એટલા માટે ગાયની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધા દેવી-દેવતાઓનાં આશીર્વાદ મળે છે. રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં ગાયનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ ગાયનું મહત્વ સમજાવ્યું છે. ભગવાન કૃષ્ણજી ને ગાય ખૂબ જ પસંદ હતી અને તેઓ દરરોજ તેની સેવા કરતા હતા. ગ્રંથોમાં પણ ગાયને પૃથ્વીનું પ્રતીક માનવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ ભગવાનની સર્વવ્યાપકતામાં માનનારી છે. જડ - ચેતન , ચરાચર સકલસૃષ્ટિમાં તે પરમાત્મ તત્વનો વિલાસ નિહાળે છે અને તેથી જીવનની વિકસન પરંપરામાં તે માત્ર માનવતા સુધી અટકતી નથી, “ सर्वभूतहिते रता: ' એ તેનો આદર્શ છે. પ્રાણીમાત્ર પર પ્રેમ અને નહીં કે દયા એ તેને દૃષ્ટિ કોણ છે. પ્રાણીમાત્રમાં જો ભગવાન વસતો હોય તો તેના પર દયા કેમ થાય ? ભગવાન પર તો પ્રેમ કરાય અને કાં તો તેની પૂજા થાય. આ રીતે ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ માનવના દિલમાં પ્રાણીમાત્રને માટે આદર હોવો જોઈએ. ભારતીય સંસ્કૃતિ માનવને સમગ્ર સૃષ્ટિ પર આત્મૌપમ્ય દ્રષ્ટિથી પ્રેમ કરવાનું શીખવે છે.
સમગ્ર પ્રાણી સૃષ્ટિ પર પ્રેમ કરવાની માનવની અશક્તિ, મર્યાદા અને અશક્યતાને ધ્યાનમાં લઈને આપણા ઋષિઓએ પ્રાણી સૃષ્ટિના પ્રતીક તરીકે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો. પૃથ્વીની ધારણામાં ગાયનો બહુ મોટો ફાળો છે.
गोमिविप्रैश्च वेदैश्च सीतीमिः सत्यवादिभिः।
अलुब्धैः दानशुरैश्च सप्तमिर्धापते महीः।।
ગાય, બ્રાહ્મણ, વેદ, સતીઓ, સત્યવાદિઓ, નિર્લોભી અને દાનવીરો આ સાત લોકોથી પૃથ્વીનું ધારણ થાય છે .
” ઋષિઓએ જ્યારે ગાય ઉપર પ્રેમ કરવાનો આદેશ આપ્યો ત્યારે કદાચ હિંદુ શબ્દ પ્રચલિત પણ ન હતો . તેથી ગાય એ હિંદુ ધર્મનું પ્રતીક છે એમ માનવું એ ભૂલભરેલું છે. માનવની માનવેતર સૃષ્ટિ સાથે પ્રેમ કરવાની હિંમત જ ગો - પૂજામાં પરિચય મળે છે, મહમદે પણ કુરાનમાં ગાયની નિર્દોષતા અને પ્રસન્નતાનું વર્ણન કરી તેની પૂજાનો આદેશ આપ્યો છે.
ગાય માનવીને પોતાનું સર્વસ્વ આપે છે, તેનું દૂધ પીને માનવ પુષ્ટ બને છે. તેના સંતાનને હળમાં જેડી તે પિતાની ખેતીને લીલીછમ બનાવે છે. તેનું છાણ ઉપયુક્ત ખાતર બને છે. ગોમૂત્ર અનેક રોગો પર અકસીર ઔષધ પુરવાર થયું છે. આવા અનંત ઉપકારો જેણે માનવજાત પર કર્યા છે તે ગાય માટે માનવ જો કૃતજ્ઞ ન રહે તો તેની માણસાઈ જ કયાં રહી ?
ભારતીય સંસ્કૃતિ તો આનાથી પણ આગળ જાય છે. તેને ગાય તરફ જોવાની કેવળ ઉપયુક્તતાની દૃષ્ટિ માન્ય નથી. ગાયને જો માત્ર તેની ઉપયુક્તતા જોઈને જ સાચવવાની હોય તો જ્યારે તે નિરુપયોગી બને ત્યારે કસાઈવાડે મોકલતાં માણસ અચકાય નહીં. માનું દૂધ પીને બાળક ઉછરે છે એ રીતે જોતાં જેનું દૂધ પીને માણસ ઊછરે તે માતૃસ્થાને ગણાય. આ રીતે ગાય એ મનુષ્યની માતા છે અને મા એ ઉપયોગી હોય કે અનુપયોગી હંમેશાં પૂજ્ય છે. વાઘ સિંહો પિતાના પોષણને માટે ગાયને મારે છે. જ્યારે માનવ પોતાના પોષણ માટે ગાયને પાળે છે, પોષે છે, પૂજે છે; એમાં જ માનવની વિશેષતા છે. બીજા પ્રાણીની માદાનું દૂધ પીને ઊછરનાર કેવળ માનવ સંતાન જ છે એમાં માનવબુદ્ધિનું કૌતુક છે. તેમજ જેનું દૂધ પીને પોતે ઊછરે છે તેને માના પૂજ્ય સ્થાને મૂકવામાં તેના હૃદયના વિકાસનો પરિચય થાય છે.
ભારતીય સંસ્કૃતિએ ગાય સાથે સ્વજન જેવો સંબંધ બાંધ્યો છે. આ સંસ્કૃતિની છાયામાં ઊછરેલા માનવને જમવા બેસતાં પહેલાં ગાઠામાં બાંધેલી ગાય યાદ આવતી. તેને ઘાસ નીરી પછી પોતે જમવા બેસતો. આજે પણ હજી ઘણા કુટુંબમાં ગો - ગ્રાસ કાઢવાની પ્રથા છે. મને ભૂખ લાગે તેમ ગાયને પણ ભૂખ લાગે છે, તેને પણ તરસ લાગે છે. આ બધો વિચાર કરી ભાવપૂર્ણ એવો માણસ વાત્સલ્ય ભાવથી તેને પંપાળી પાણી પિવડાવતો. ગાયની આંખમાં પણ મૂક પ્રેમનાં દર્શન થતા આપણા પૂર્વજો ગાયની ભાવભરી માવજત કરતા. તે મૂક છે તેથી તેનું પહેલું સ્મરણ અને તેના દ્વારા સમગ્ર પ્રાણીસૃષ્ટિનું સ્મરણ.
ગાયનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે ઘણુ વધાર્યું, ગાયના ગુણાને લક્ષમાં રાખી પોતાના જીવનમાં તેને વણી લીધા. ગાયને જીવનનું અંગ બનાવી પોતે ફક્ત કૃષ્ણ ન રહેતાં ગોપાલ -કૃષ્ણ થયા. તેમણે ગાયોને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે તેમની મુરલીની ધૂન સાંભળતાં જ ધેનુઓ ગાંડી બનીને દોડી આવતી. ગોવર્ધન પૂજાનો મહિમા સમજાવી તેમણે ગોકુળમાં ઘી દૂધની રેલં છેલ કરી મૂકી હતી.
ગાય પરોપકારી તો છે જ .પરંતુ તેના પરોપકારની સાથે સાથે તેનો વાગોળવાનો ગુણ પણ ધ્યાન ખેંચે એવો છે. ઘાસને વાગોળી વાગોળીને તેનું દૂધમાં રૂપાંતર કરી નાખનાર ગાયને સુપાત્ર ગણવામાં આપી છે. જ્યારે દૂધ પીને પણ વિષ ઓકનાર સાપને અપાત્ર ગણવામાં આવ્યો છે.
આપણે પણ આપણી પાસે આવતા વિચારો કે મંતવ્યોને તરત સ્વીકારી ન લેતાં, ગાયની માફક વાગોળીએ, તેના પર ચિંતન, મનન કરીએ તો સમાજમાં થતા ઘણા અનર્થો અટકશે. તેમજ વાગોળીને બહાર પડેલા વિચારો આપણા માટે તેમજ સમાજ માટે શુભદાયી અને પુષ્ટિદાયી બનશે.
ગાયની સાથેના ઐકયને આપણા પૂર્વજોએ કેટલું પ્રાધાન્ય આપ્યું હતું તે નીચેના સ્લોક પરથી સ્પષ્ટ થાય છે:
गाँव में अग्रत: सन्तु गाँव मे सन्तु पृष्ठतः ।
गाँव मे हृदये सन्तु गवां मध्ये वसाम्यहम् ।।
“ મારી આગળ ગાયો રહો મારી પાછળ ગાયો રહો , મારા હૃદયમાં ગાયો રહો અને ગાયની વરચે હું વસું છું, ' ભારતીય સંસ્કૃતિની દષ્ટિથી ગાય એ વિભૂતિ છે. તેથી આ સંસ્કૃતિ ગોહત્યા કરવાની વિરુદ્ધ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે.
सर्वोपनिषदो गावो- આ દૃષ્ટિથી ઉપનિષદ એ ગાય છે. તેથી મારી આગળ ઉપનિષદના વિચારો રહો અને મારો જીવનપંથ ઉજજવળ કરો, મારા જીવન માર્ગમાં પ્રકાશ પાથરો મારી પાછળ ઉપનિષદના વિચારો રહો અને મારાં જીવનવ્રતો તેનું રક્ષણ કરો અને મારું હૃદય ઉપનિષદના વિચારોથી રંગાયેલું રહો. હું ઉપનિષદના વિચારમાં રહું અર્થાત મારો સમગ્ર જીવન વ્યવહાર હું શ્રુતિ ને પૂછીને ચલાવું. ઉપનિષદોના વિચારોનું જ ભગવાને દોહન કરીને ગીતારૂપી દૂધ જગત સામે પીવા માટે મૂકયું છે.
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
पार्यो वत्स सुधीर्मोक्ता दुग्धं गीताऽमृतं महत्।।
ગીતા એ મારા જીવનને પથપ્રદર્શક ગ્રંથ રહો.
વળી ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા અર્થ છે .
विना गोरसं को रसो मोजनेषु ? ( ગાય )
विना गोरसं को रसो भूपतिषु ? ( બાહુ )
विना गोरसं को रसो कामिनीषु ? ( દૃષ્ટિ )
विना गोरसं को रसो हि द्विजेषु ? ( વાણી )
અર્થાત્ ગોરસ ( દૂધ , દહીં , ઘી ) વગરના ભોજનમાં શો રસ ? ગોરસ ( બાહુબળ ) વગરના ભૂપતિનું શું મહત્ત્વ ! ગોરસ ( સુદષ્ટિ - સારી આંખો ) વગરની સ્ત્રીનું શું સૌદર્ય ? અને ગોરસ ( વાણી ) વગર દ્વિજનો શો અર્થ ?
બધાં જ અર્થમાં ગો - પૂજા આપણા જીવનમાં સાકારિત થાય એવી ભગવાન યોગેશ્વરના ચરણે પ્રાર્થના !
👉 વધુ માં વાંચો:ઉત્સવ દર્શન :શ્રાદ્ધ-શ્રાદ્ધનું મહત્વ અને તેનું પ્રકૃતિલક્ષી કારણ.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.