There should be 26 qualities in Prabhu Karyakar and Yajna Purush - as like as swadhyayi Karyakar Insurance

❍ પ્રભુ કાર્યકર માં અને યજ્ઞિય પુરુષમાં ૨૬ ગુણો હોવા જોઈએ.❍


Insurance-The Character of the Lord's Worker,There should be 26 qualities in Prabhu Karyakar and Yajna Purush - as like as swadhyayi Karyakar,Svadhyayi Arth,
ઋગ્વેદ પ્રવચન-૧૧૦(૨૧/૦૯/૧૯૮૬)


(૧)  અમરત્ત્વની ભાવના(The spirit of immortality):-

•  મૃત્યુંજય વૃત્તિ.

•  પુનર્જન્મ પર વિશ્વાસ.

(૨)  પુરુષાર્થત્ત્વની ભાવના(The spirit of masculinity):-

•  હું મેળવીશ જ.

•  પ્રયત્ન ઉપર પ્રેમ.

(૩)  જીવનનિષ્ઠા(#Fidelity):-

•  સો વર્ષ પ્રભુનું કામ કરતાં કરતાં જીવવું છે.

•  પ્રભુને ગમતું જીવવું છે.

•  જીવન કોઈ ધ્યેય માટે વાપરવું છે.

(૪)  ઐશ્વર્યભાવના(Aishwarya spirit):-

•  વિત્તલોલુપતા નહીં.

•  પ્રભુ કાર્ય માટે ગુણ/વિચાર/ભાવ/કૃતિ/વિત્તનું ઐશ્વર્ય.

(૫)  મજબુત મન(Strong mind):-

•  કોઈપણ પરિસ્થિતિમાં પ્રભુ કાર્ય નહીં છોડું. ( બધાં જ દ્વંદ્વોમાં પણ .)

(૬)  તેજસ્વીતા(#Luminosity):-

• મફતનું લઈશ નહીં

(૭) તત્પરતા(#Readiness):-

•  સતત કામ કરવાનો ઉત્સાહ 

•  "ફક્ત હું જ - ભગવાનનું કામ સૌ પ્રથમ કરીશ !"

•  સર્જન-વિસર્જન બન્નેમાં હોય જ.(કાર્યની શરુઆતથી અંત સુધી કામમાં, કૃતિભક્તિમાં હોય જ)

(૮) તન્મયતા(#Intoxication):-

•  પ્રભુમાં તન્મય થવાનો પ્રયત્ન - મૂર્તિપૂજા

•  પ્રભુકાર્યમાં તન્મય થવાનો પ્રયત્ન, જે વિસ્તાર મળ્યો, જે વિભાગ મળ્યો તેમાં ખોવાઈ જવું.

•  પ્રભુકાર્યકરમાં તન્મય થવાનો પ્રયત્ન - સહકાર્યકર સાથે આત્મીયતા કેળવવી.

(૯) કલ્પતરુવાદને તિલાંજલી(Tilanjali to Kalpataruvad) :-

•  "કાંઈ પણ એમજ મળી જશે" - આ વૃત્તિ દૂર કરવી.

•  "મારે મહેનત કરવી પડશે ને શું મળશે તે મને ખબર નથી" - આ જ નિષ્કામ કર્મયોગ છે.

•  "ઈચ્છા કર્યાબાદ તરત જ મળશે" - આ લોકો સાતત્ય ન રાખી શકે.

(૧૦)  ઉપકરણવાદનો ત્યાગ(Abandonment of deviceism) :-

•  "ઉપકરણથી,સાધનોથી વ્યક્તિને સુખ મળશે" - આ વિચારધારાનો ત્યાગ કરવો, આ વિચાર મોટો છે.

•  મન/હૃદયમાં અતૃપ્તિ હોય તો યજ્ઞીય કામ ન થાય.

(૧૧)  પ્રભુત્ત્વવાદરહિતતા(Dominance Lessness):-

•  " મારી શક્તિ બીજાને અંકિત કરવામાં, બીજાને મારા હાથ નીચે લાવવામાં વપરાય" - આ ખોટી વાત છે તેમ લાગવું જોઈએ.

•  " યજ્ઞમાં માણસને બદલવાની વાત જોઈએ,મારા હાથ નીચે લાવવાની નહીં" - આવું માનવું જોઇએ.

•  "મારું જ માનવું જોઈએ" - આ ભાવના યજ્ઞીય કાર્યમાં અયોગ્ય છે, દોષ છે.

(૧૨) કદર(#Value) - પ્રશંસા(#Appreciation):-

•  "મારી કદર બીજો પોતાની શક્તિ મુજબ કરે છે" - એવી સમજણ પ્રભુ કાર્યકરમાં હોવી જોઈએ.

•  "આપણું  'પ્રશંસા-#Appriciation'  પ્રભુ કરે છે" - આ સમજ યજ્ઞીય પુરુષ/
પ્રભુકાર્યકર માં હોય તો જ અંધારું/અજ્ઞાન/ અધર્મ સામે લડી શકાય.

(૧૩) સામીપ્ય(#Proximity)/સાન્નિધ્ય(#vicinity)/સંબંધ(#Relationship):-

•  "જે સમૂહમાં જવાનું છે તેની સાથે સમરસ થવાનું છે" - આ વૃત્તિ હોવી જોઈએ.

•  વાંકા વળવાની તૈયારી હોવી જોઈએ !

•  સામેવાળાના વિશ્વમાં રસ લેવાથી , સામીપ્ય/સાન્નિધ્ય/સંબંધ બદલ આવે .

(૧૪) સ્વ-પ્રભાવી(Self-efficacy) :-

•  "કોઈના પણ પ્રભાવમાં ખેંચાઈ નહીં જવાનું" - આવી મજબુતાઈ જોઈએ.

(૧૫) આશાવાન બનવું(Being #optimistic):-

•  નિરાશા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ.

•  નિરાશા એ નાસ્તિકતા છે.

(૧૬) આસ્તિક(#Believer):-

•  આશાવાદી હોવો જોઈએ.

•  આસ્તિકતા મગજમાં હોવી જોઈએ.

(૧૭) મૂલ્ય પ્રેમી(Value lover):-

•  કાર્યકર્તાનો મૂલ્યો પર પ્રેમ હોવો જોઈએ.

•  કૃતજ્ઞતા, અસ્મિતા, ભાવપૂર્ણતા, સદાચાર, પ્રામાણિકતા, સત્ય...વગેરે મૂલ્યો પર પ્રેમ - શ્રદ્ધા હોવી જોઈએ.

(૧૮) સર્જનશીલતા(#Creativity):-

•  નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.

•  વસ્તુનિષ્ઠ વિચાર કરીને બુદ્ધિનિષ્ઠાથી નૈતિક મૂલ્યો, નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.

(૧૯) સંવેદનાશીલ(#Sensitive) - સંસ્કારક્ષમ(#Cultured):-

•  તેનું હૃદય સંવેદનાશીલ હોવું જોઈએ.

•  તેનું હૃદય સંસ્કારક્ષમ હોવું જોઈએ.

(૨૦) નિર્મોહી(#Nirmohi-''હું'' પણું):-

•  આત્મપ્રસિદ્ધિનો મોહ ટાળવો જોઈએ.

•  આત્મસમર્થનનો મોહ ટાળવો જોઈએ.

•  "હું હતો તેથી કામ થયું" આ આત્મપ્રસિદ્ધિનો મોહ જવો જોઈએ, આ મોહ હોય તો યજ્ઞીય કામ ન થાય.

(૨૧) આજ્ઞા પાલક(#Obedient):-

•  આજ્ઞા પાલન હોવું જોઈએ.

•  પ્રભુની વાત માનવી જ જોઈએ.

(૨૨) કર્મનિષ્ઠ(#Hardworking):-

•  કર્મનિષ્ઠા હોવી જોઈએ.
( કોઈપણ સ્થિતિમાં મારા પિતાના આ કાર્યને છોડીશ નહીં.)

(૨૩) ભાવપૂર્ણતા(#Pricelessness):-

•  ભાવપૂર્ણતા હોવી જોઈએ.

•  પ્રભુ, પ્રભુકાર્ય, પ્રભુકાર્યકર, સંસ્કૃતિ, માનવ્ય પરંપરા, ઋષિ, અવતારો...પર ભાવ.

(૨૪) વિચારનિષ્ઠ(#Thoughtful):-

•  વિચારનિષ્ઠા હોવી જોઈએ.
(વેદ, ઉપનિષદ, ગીતા ના વિચારો સત્ય જ છે તેવી નિષ્ઠા.)

•  વિચારનિષ્ઠાના આધાર પર ભાવના+શીલ હોવાં જોઈએ.

(૨૫) નિષ્ઠાવાન(#Sincerely):-

•      પ્રથમ વ્યક્તિ નિષ્ઠા, પછી સંઘનિષ્ઠા, ત્યાર પછી તત્ત્વનિષ્ઠા  આમ ક્રમાનુસાર નિષ્ઠા હોવી જોઈએ, નિષ્ઠા ઊભી થવી જોઈએ !

(૨૬) બુદ્ધિપ્રામાણ્ય(Intelligence authentic):-

•  "બુદ્ધિપ્રામાણ્ય હોવું જોઈએ.

•  બુદ્ધિ પ્રામાણ્ય / બુદ્ધિનિષ્ઠાના આધાર પર યજ્ઞીય કામ કરવાનું. 
    આ યજ્ઞનિષ્ઠાનો ઉદ્દેશ્ય પોતાને અને બીજાને બદલવાનો હોવો જોઈએ.

ઉપરની ૨૬ વાતો પ્રભુકાર્યકરના લોહીમાં જવી જોઈએ. 
૧૨ વર્ષ = ૧ તપ થાય.
આવું તપ કરે તો આ વાતો લોહીમાં જાય ! ને આવા લોકોના યજ્ઞમાં "વિષ્ણુ'' નાચે. આવા લોકોનું કાર્ય સતત ટકવાની સંભાવના છે.


।। श्रीयोगेश्वरो विजयतेतराम् ।।


Header Ads
#Insurance

Post a Comment

0 Comments