Questions & Answers which is most important for human life

મનુષ્ય જીવન માટે અગત્ય ની જાણવા લાયક પ્રશ્નોત્તરી.

Questions & Answers

❍ પ્રશ્ન -૧ : હું કોણ છુ ? 

જવાબ -  તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. 

❍ પ્રશ્ન -૨ : જીવન નો ઉદ્દેશ શુ છે ? 

જવાબ - જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે. 

❍ પ્રશ્ન -૩ : જન્મ નું કારણ શું છે? 

જવાબ -  અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે. 

❍ પ્રશ્ન - ૪ : જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ? 

જવાબ -  જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. 

❍ પ્રશ્ન -૫ : વાસના અને જન્મ નો શું સંબંધ છે ? 

જવાબ -  જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ. 

❍ પ્રશ્ન -૬ : સંસાર માં દુઃખ કેમ છે ?

 જવાબ -  લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે. 

❍ પ્રશ્ન -૭  : ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ? 

જવાબ -  ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી. 

❍ પ્રશ્ન - ૮:  શું ઈશ્વર છે ?, તે કોણ છે ?, તેનું સ્વરૂપ શુ છે ?, તે સ્ત્રી છે કે પુરુષ છે ? 

જવાબ -  કારણ વિના કાર્ય થતું નથી. આ સંસાર એ જ કારણ ના અસ્તિત્વ નું પ્રમાણ છે. તમે છો એટલે એ પણ છે. એ જ મહાન કારણ ને અધ્યાત્મ માં ઈશ્વર કહેવામાં આવ્યા છે. એ ના તો સ્ત્રી છે ના પુરુષ. એમનું સ્વરૂપ સત્ત ચિત્ત આનંદ છે, તે અનાકાર જાતે જ દરેક રૂપો માં સ્વયં ને વ્યક્ત કરે છે. 

❍ પ્રશ્ન -૯ : તે અનાકાર શું કરે છે ? 

જવાબ -  તે અનાકાર ઇશ્વર સંસાર ની રચના, પાલન અને સંહાર કરે છે. 

❍ પ્રશ્ન - ૧૦ : જો ઈશ્વરે સંસાર ની રચના કરી તો ઈશ્વર ની રચના કોને કરી ? 

જવાબ -  ઇશ્વર અજન્મા, અમૃત અને અકારણ છે. 

❍ પ્રશ્ન - ૧૧ :  ભાગ્ય શું છે ? 

જવાબ -  દરેક ક્રિયા, દરેક કર્મ નું એક પરિણામ છે. પરિણામ સારું પણ હોઈ શકે છે, પરિણામ ખરાબ પણ હોઇ શકે છે. આ પરિણામ જ ભાગ્ય છે. આજ નો પ્રયત્ન આવતી કાલ નું ભાગ્ય છે. 

❍ પ્રશ્ન - ૧૨ : સુખ અને શાંતિ નુ રહસ્ય શું છે ? 

જવાબ -  સત્ય, સદાચાર, પ્રેમ અને ક્ષમા સુખ નુ કારણ છે. અસત્ય, અનાચાર, ઘૃણા અને ક્રોધ નો ત્યાગ શાંતિ નો માર્ગ છે. 

❍ પ્રશ્ર્ન - ૧૩ :  ચિત્ત ઉપર નિયંત્રણ કઇ રીતે સંભવ છે ? 

જવાબ -  ઈચ્છાઓ અને કામનાઓ ચિત્ત માં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. આ ઈચ્છાઓ અને કામનાઓ પર જીત એ જ ચિત્ત ઉપર વિજય છે. 

❍ પ્રશ્ન - ૧૪ : સાચો પ્રેમ શુ છે ?

જવાબ -  સ્વયં ને હર એક માં દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને સર્વ વ્યાપ્ત દેખવું એ જ સાચો પ્રેમ છે. સ્વયં ને હર એક માં એક સાથે દેખવું એ જ સાચો પ્રેમ છે. 

❍ પ્રશ્ન - ૧૫ : તો પછી મનુષ્ય હર એક ને પ્રેમ કેમ નથી કરતો ? 

જવાબ -  જે સ્વયં ને હર એક માં નથી જોઈ શકતો, તે હર એક ને પ્રેમ નથી કરી શકતો. 

❍ પ્રશ્ન - ૧૬ : આસક્તિ શું છે ? 

જવાબ-  પ્રેમ માં માંગણી, અપેક્ષા અને અધિકાર એ જ આસક્તિ છે. 

❍ પ્રશ્ન -૧૭ : બુદ્ધિમાન કોણ છે?

 જવાબ -  જેની પાસે વિવેક છે તે બુદ્ધિમાન છે. 

❍ પ્રશ્ન -૧૮ : નશો શું છે ? 

જવાબ -  આસક્તિ એ જ નશો છે . 

❍ પ્રશ્ન - ૧૯ : ચોર કોણ છે ? 

જવાબ -  ઇન્દ્રિયો ના આકર્ષણ થી જે ઇન્દ્રિયો ને હરી લે છે, તે ચોર છે. 

❍ પ્રશ્ન - ૨૦ : જાગતા હોવા છતાં સૂતું કોણ છે ? 

જવાબ-  જેને આત્મા ને નથી જાણ્યો, તે જાગતા હોવા છતાંય સૂતો છે. 

❍ પ્રશ્ન - ૨૧ : કમળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી શું છે ? 

જવાબ -  યૌવન, ધન અને જીવન કમળ ના પત્તા ઉપર પડેલા જળ ની જેમ અસ્થાયી છે. 

❍ પ્રશ્ન - ૨૨ : નર્ક શું છે?

 જવાબ -  ઇન્દ્રિયો માં રચ્યાપચ્યા રહેવું અને ઇન્દ્રિયો સાથે દાતત્મ્ય રાખવુ એ જ નર્ક છે.

 ❍ પ્રશ્ન -૨૩ : મુક્તિ શું છે? 

જવાબ -  અનાસક્તિ એ જ મુક્તિ છે. 

❍ પ્રશ્ન - ૨૪ : દુર્ભાગ્ય નું કારણ શું છે ? 

જવાબ -  મદ અને અહંકાર દુર્ભાગ્ય નું કારણ છે. 

❍ પ્રશ્ન - ૨૫ : સૌભાગ્ય નું કારણ શું છે ? 

જવાબ -  સત્સંગ અને હર એક પ્રત્યે મૈત્રી ભાવ સૌભાગ્ય નું કારણ છે. 

❍ પ્રશ્ન - ૨૬ : સર્વે દુઃખો નો નાશ કોણ કરી શકે છે? 

જવાબ-  જે બધું છોડવા તૈયાર છે, તે સર્વે દુઃખો નો નાશ કરી શકે છે. 

❍ પ્રશ્ન - ૨૭ : મૃત્યુપર્યંત યાતના કોણ આપે છે?

 જવાબ -  ગુપ્તરૂપે કરેલા અપરાધ મૃત્યુપર્યંત યાતના આપે છે. 

❍ પ્રશ્ન -૨૮ : દિવસ રાત કયો વિચાર કરવો જોઈએ? 

જવાબ-  દિવસ રાત સાંસારિક સુખો ની ક્ષણભંગુરતા નો વિચાર કરવો જોઈએ. 6

❍ પ્રશ્ન - ૨૯ : સંસાર ને કોણ જીતી શકે છે ? 

જવાબ -  જેના માં સત્ય અને શ્રદ્ધા છે, તે જ સંસાર ને જીતી શકે છે. 

❍ પ્રશ્ન - ૩૦ : ભય થી મુક્તિ કઈ રીતે સંભવ છે ? 

જવાબ -  વૈરાગ્ય થકી ભય થી મુક્તિ સંભવ છે.

❍ પ્રશ્ન - ૩૧ : મુક્ત કોણ છે ? 

જવાબ -  જે અજ્ઞાન થી પર છે તે મુક્ત છે. 

❍ પ્રશ્ન -૩૨ : અજ્ઞાન શું છે? 

જવાબ -  આતમ જ્ઞાન નો અભાવ એ જ અજ્ઞાન છે. 

❍ પ્રશ્ન -૩૩ : દુઃખો થી મુક્ત કોણ છે?

જવાબ -  જે કદાપિ ક્રોધ નથી કરતો, તે સર્વદા દુઃખો થી મુક્ત છે. 

❍ પ્રશ્ન - ૩૪ : એવું શું છે કે જે છે પણ અને નથી પણ? 

જવાબ - માયા.

❍ પ્રશ્ન - ૩૫ : માયા શું છે ? 

જવાબ -  નામ અને રૂપધારી નાશવંત જગત એ જ માયા છે. 

❍ પ્રશ્ન -૩૬ : પરમ સત્ય શું છે ? 

જવાબ -  બ્રહ્મ એ જ પરમ સત્ય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌸🕉️ ॐ सर्वे भवन्तु सुखिनः🌸

 🙏

Header Ads

Post a Comment

0 Comments