સ્વાધ્યાય પરિવારે સ્વચ્છતા માટે સરકારને ફોગિંગ મશીન અર્પણ કર્યું.
હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસનો રોગચાળો આખી દુનિયા માં ફેલાયેલો છે અને આ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહી છે,દરેક જણ વાયરસ સામે લડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને સમસ્ત ભારત એક જૂથ બની તેનો પ્રતિકાર કરી રહ્યો છે.
જ્યારે જ્યારે પણ આવી કોઈ આફત સમાજ પર આવી છે ત્યારે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) અને શ્રી જયશ્રી તલવલકર(પૂજ્ય દીદીજી) એ સમસ્ત માનવમાત્ર માટે ચિંતા કરી છે. સામાન્ય વ્યક્તિ ઘરમાં જ રહે અને સોશિયલ અંતર જાળવે તેનાથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. આ સાથે વિદેશના ઘણા દેશોમાં ફોગિંગ મશીન દ્વારા વિશેષ દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો તથા રોડને શેનીટાઇઝ કરવાની પ્રક્રિયા થઇ રહી છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેર માટે આવા ૨૦ થી વધુ ફોગિંગ મશીન ની વ્યવસ્થા કરી સરકારને આપવામાં આવ્યા છે. જેમાં ફાયરબ્રિગેડ ના કર્મચારીઓ સાથે રહી આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
વિશેષતા:
| #SwadhayParivar #Lockdown #news #foggingmachine #sanitizer #gujaratfightscorona |




0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.