The Work-કામ-કાર્ય.
The Work.
- T = Thought(વિચાર).
- H = Hunger(લગન-પ્રબળ ઇચ્છા).
- E = Emotion(ભાવના).
આ કાર્યમાં, વિચાર, લગન(પ્રબળ ઇચ્છા) અને ભાવનાનો સમન્વય છે. આપણે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः ॥” (વૈશ્વિક વિશ્વમાંથી ઉમદા વિચારો અમને આવવા દો) વૈદિક ઉક્તિમાં માનીએ છીએ. સ્વાધ્યાય કાર્ય વિવિધ સંસ્કૃતિઓ, પર્વતો, મહાસાગરો, પશુ - પક્ષીઓ અથવા અન્ય કોઈપણ ક્ષેત્ર માંથી ઉમદા વિચારો શીખવામાં ક્યારેય શરમ-સંકોચ અનુભવતું નથી. પછી ભલે ને સામે દુશ્મન પણ કેમ ના હોય. ઉમદા વિચારો ઉમદા માણસો બનાવે છે અને નોબેલ(#Noble) એટલે આર્યન(#Aaryan).
ભાવના માટેની આપણી લગન-પ્રબળ ઇચ્છા (#Bhav) ગીતા દ્વારા પ્રેરિત છે - बुधभाव समन्वित - ભગવાન જેઓ વિચારશીલ અને ભાવનાશીલ છે તેમને પસંદ કરે છે. એકલા વિચારો સૂકા હોય છે અને લાગણી એકલી મૂર્ખતા હોય છે.
આ સ્વાધ્યાય કાર્ય - લોકોને વિચારો અને ભાવનાઓને જોડવાનું શીખવે છે. લાગણીઓ જીવનને મધુર બનાવે છે. પૂજ્ય દાદાજીએ ઋષિ કણવનાં ઉદાહરણો આપ્યા જે વૈદિક જ્ઞાનના શીર્ષ પર ( गतासून गतसुञ्च ननु शोचन्ति पण्डित ) જ્યારે તેની પાલિકા પુત્રી શકુંતલા આશ્રમને તેના પતિ દુષ્યંત પાસે જવા રવાના કરે ત્યારે બાળકની જેમ રડે છે.
શ્રી રામ ખુદ રડે છે જ્યારે સીતાનું અપહરણ કરવામાં આવે છે, રામ ભગવાન નો અવતાર છે તે છતાં તે રડે છે આ સીતા પ્રત્યે તેનો પ્રેમભાવ બતાવે છે.
ભારતીય ધર્મોમાં બુદ્ધિની સાથે ભાવનાનું આધ્યાત્મિક મહત્વ જોવા મળ્યું છે અને સ્વાધ્યાયે લોકોમાં આ બંને ગુણો વધારવાનો પ્રયાસ કર્યો. તેથીજ તો સ્વાધ્યાય શ્રેષ્ઠ કાર્ય છે.
➥ શિબિરોમાં સંસ્કૃતિ,ઐતિહાસિક ઘટનાઓ અને વર્તમાન જીવનશૈલીને લઈને ચર્ચાઓ કરવામાં આવે છે.
➥ ગીતા જયંતિ દરમિયાન વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન આવે છે.
➥ જન્માષ્ટમીના સપ્તાહ દરમિયાન વિવિધ સ્થળોએ શેરી નાટકો (વિશ્વની હજારો ટીમ દ્વારા) રજૂ કરવામાં આવે છે જેમાં વર્તમાન ઘટનાઓ, માનવ મૂલ્યો અને આત્મનિર્ભર હોવાના સંદેશાઓ અને ઈશ્વરીય શક્તિને બહાર શોધવાને બદલે પોતાની અંદર ભગવાનની શક્તિને ઓળખવાની સમજૂતી વિવિધ કૃતિઓ દ્વારા રજુ કરવામાં આવે છે.
➥ લોકોની ભાવનાઓને ઓળખવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાવ પ્રસંગ શેર કરવામાં આવે છે.
➥ મીટિંગમાં એકબીજા પ્રત્યે લાગણીઓ દર્શાવવામાં આવે છે.
➥ કાર્ય કે તેના પરિણામ ને બદલે સાથે કામ કરતા લોકોમાં સંબંધો વિકસિત થાય તેને મહત્વ આપવામાં આવે છે.
➥ યુવાનો…"સાથે કેમ રહેવું" જેવા સાંસ્કૃતિક વિચારો શીખવા ને બદલે "સાથે રહીને" સાંસ્કૃતિક વિચારો શીખે છે ".
➥ ધાર્મિક સહિષ્ણુતા અને જુદી જુદી માન્યતાઓ પ્રત્યેની સહિષ્ણુતા સ્વાધ્યાય વાતાવરણમાં વિકસે છે.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.