'ભાવસમર્પણ':સ્વાધ્યાયમાં 'પવિત્ર શબ્દ' ભગવાન નો ભાગ
'ભાવસમર્પણ' - ભગવાન નો ભાગ.
પૂજ્ય દાદાજી, પ્રવચનમાં "इष्टान्भोगान् हि वो देवा"(શ્લોક :૩/૧૨ ) ગીતાનો એક શ્લોક ટાંકે છે, તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ ભગવાન માટે પોતાની કમાણી(અવાક) માંથી ભાગ(ભગવાનનો ભાગ) કાઢવો જોઈએ.પરંતુ, જે ભગવાન ને અર્પણ કર્યા વિના ભગવાનનો ભાગ કાઢ્યા વિના પોતાની કમાણી(અવાક)નો ઉપયોગ કરે છે તે ચોર જ છે.
માનવ આવશ્યક વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણા મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું નથી, પરંતુ ભગવાન દ્વારા બનાવાવમાં આવ્યું છે, દા.ત. અનાજ, ફળ, પાણી, પ્રકાશ, હવા, સૂર્ય, ચંદ્ર, વરસાદ અને અને બીજું ઘણું બધું.
આપણે બધા આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે તેના માટે ભગવાનને કોઈ કર(#tax) ચૂકવતા નથી. જ્યારે આપણે માર્ગ / મકાન / ઉદ્યાનો / વીજળી વગેરે માટે વેરો ચૂકવીએ છીએ, તેથી જે કોઈપણ ભગવાન દ્વારા બનાવેલ આ આવશ્યક વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો છે, તેણે ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ અને જો તે અર્પણ નથી કરતો તો તે ચોર છે.
હવે, પૂજ્ય દાદાજી ભાવ સમર્પણ નો અર્થ સમજાવતા કહે છે કે 'ભગવાન નો ભાગ' (દાન) કાઢવો એટલે ભાવ થી સમર્પણ કરવું. તેમણે ગીતાના શ્લોક "इष्टान्भोगान् हि वो देवा" ને સમજાવતા કહ્યું છે કે વ્યક્તિ પોતે ઇચ્છે તેટલું અને જ્યાં ઇચ્છે ત્યાં દાન આપી શકે છે. ભગવાન માટે કંઇક કરવાનો ફક્ત સભાન પ્રયાસ થવો જોઈએ. ભગવાનને કંઈપણની જરૂર નથી. આપવા વાળા ને શેની જરૂર હોય ? તેને શા માટે પૈસા અથવા અનાજ, ફળો અથવા ફૂલોની જરૂર હશે? તેણે ફક્ત તે બનાવ્યું છે. આપણે તેને ખુશ કરી શકતા નથી. ભગવાનને ફક્ત 'ભક્તિ' અથવા ભક્તિના રૂપમાં તમારા 'મન'ની જરૂર છે. અને તે જ સ્વાધ્યાયનું લક્ષ્ય છે.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.